મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પેપર મીલમાં બનાવ : લોડર મશીનની હડફેટે મહિલાનું મોત


SHARE











મોરબીમાં પેપર મીલમાં બનાવ : લોડર મશીનની હડફેટે મહિલાનું મોત

મોરબીના વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ પેપર મિલમાં કામ દરમિયાન લોડર મશીનની હડફેટે ચડી જતા પરપ્રાંતીય મજૂર મહિલાનું મોત નીપજયુ હોવાનું જાણવા મળે છે

બનાવની જાણવા મળતા વીગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે આવેલ બ્રાઉનિયા પેપર મીલ નામના યુનિટમાં કામ દરમિયાન લોડર મશીનના ચાલકે સાગરબેન કરણભાઈ પટેલ નામની ૨૮ વર્ષીય મજૂર મહિલાને હડફેટે લીધી હતી જેથી તેણીનું ઘટના સ્થળે મોત નીપજત્તા મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર મૌમજીભાઇ ચૌહાણ દ્વારા આ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે. જ્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે જગદીશભાઈ દયારામભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો રાહુલ ફુલિયાભાઈ ધાણકા નામનો ૧૦ વર્ષનો બાળક ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે ગામમાંથી વાડીએ જતા સમયે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટ લેતા તેને સારવાર માટે મોરબી લવાયો હતો.

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબી તાલુકાના માણેકવાડા અને બગથળા ગામની વચ્ચે રીક્ષાનો અકસ્માત થયો હતો જે બનાવમાં કિશન સતિષભાઈ ખીંટ નામના ૧૩ વર્ષના બાળકને અને મણીબેન સતિષભાઈ ખીંટ (૩૯) ને ઇજાઓ પહોંચતા બંનેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા વધુમાં તાલુકા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ કાર અને રિક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં કિશન અને મણીબેનને ઈજાઓ પહોંચતા સારવારમાં લાવવામાં આવ્યા હતા જે અંગે એએસઆઈ આઅ.એમ.અજમેરી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના સામાકાંઠે ઉમિયાનગર વિસ્તારમાં રહેતા શારદાબેન કરસનભાઈ પઢીયાર નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને ઉમિયાનગર વિસ્તાર પાસે આવેલ મેલડી માતાના મંદિરના ઢાળિયા પાસે વાહન અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા ૧૦૮ વડે સારવારમાં સીવીલે ખસેડાયા હતા. તેમજ મોરબીના સામાકાંઠે માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતા નરેશ મનજીભાઈ પરમાર નામના ૩૮ વર્ષના યુવાનને ભડીયાદ કાંટા પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવાયો હતો.






Latest News