મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં પેપર મીલમાં બનાવ : લોડર મશીનની હડફેટે મહિલાનું મોત


SHARE











મોરબીમાં પેપર મીલમાં બનાવ : લોડર મશીનની હડફેટે મહિલાનું મોત

મોરબીના વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ પેપર મિલમાં કામ દરમિયાન લોડર મશીનની હડફેટે ચડી જતા પરપ્રાંતીય મજૂર મહિલાનું મોત નીપજયુ હોવાનું જાણવા મળે છે

બનાવની જાણવા મળતા વીગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે આવેલ બ્રાઉનિયા પેપર મીલ નામના યુનિટમાં કામ દરમિયાન લોડર મશીનના ચાલકે સાગરબેન કરણભાઈ પટેલ નામની ૨૮ વર્ષીય મજૂર મહિલાને હડફેટે લીધી હતી જેથી તેણીનું ઘટના સ્થળે મોત નીપજત્તા મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર મૌમજીભાઇ ચૌહાણ દ્વારા આ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે. જ્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે જગદીશભાઈ દયારામભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો રાહુલ ફુલિયાભાઈ ધાણકા નામનો ૧૦ વર્ષનો બાળક ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે ગામમાંથી વાડીએ જતા સમયે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટ લેતા તેને સારવાર માટે મોરબી લવાયો હતો.

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબી તાલુકાના માણેકવાડા અને બગથળા ગામની વચ્ચે રીક્ષાનો અકસ્માત થયો હતો જે બનાવમાં કિશન સતિષભાઈ ખીંટ નામના ૧૩ વર્ષના બાળકને અને મણીબેન સતિષભાઈ ખીંટ (૩૯) ને ઇજાઓ પહોંચતા બંનેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા વધુમાં તાલુકા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ કાર અને રિક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં કિશન અને મણીબેનને ઈજાઓ પહોંચતા સારવારમાં લાવવામાં આવ્યા હતા જે અંગે એએસઆઈ આઅ.એમ.અજમેરી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના સામાકાંઠે ઉમિયાનગર વિસ્તારમાં રહેતા શારદાબેન કરસનભાઈ પઢીયાર નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને ઉમિયાનગર વિસ્તાર પાસે આવેલ મેલડી માતાના મંદિરના ઢાળિયા પાસે વાહન અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા ૧૦૮ વડે સારવારમાં સીવીલે ખસેડાયા હતા. તેમજ મોરબીના સામાકાંઠે માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતા નરેશ મનજીભાઈ પરમાર નામના ૩૮ વર્ષના યુવાનને ભડીયાદ કાંટા પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવાયો હતો.






Latest News