મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના રણમલપુર ગામે ભાજપનું વાવાઝોડું, કોંગ્રેસનો સફાયો: આખુ ગામ કેસરીયા રંગે રંગાયુ


SHARE











હળવદ તાલુકાના રણમલપુર ગામે ભાજપનું વાવાઝોડું, કોંગ્રેસનો સફાયો: આખુ ગામ કેસરીયા રંગે રંગાયુ

ધ્રાંગધ્રા હળવદ વિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં જુદી જુદી જગ્યાઓ પર હાલમાં કાર્યક્રમ યોજતા હોય છે તેવી જ રીતે હળવદ તાલુકાના રણમલપુર ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાજતે ગાજતે ગામના લોકો દ્વારા પ્રકાશભાઈ વરમોરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસના રણમલપુર ગામના આગેવાનો સહિત કુલ મળીને 300 થી વધુ લોકોએ કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા કર્યા છે જેથી કરીને આખું ગામ કેસરિયા રંગે રંગાયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી

હળવદ તાલુકાના રણમલપુર ગામે આજે ધ્રાંગધ્રા હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગામના લોકો તેમજ મતદારો સહિતનાઓ દ્વારા તેઓનું ફૂલડે વધાવીને,  ઘોડે બેસાડીને અને વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ગામમાં વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા અનેક આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડીને આજે પ્રકાશભાઈ વરમોરા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, સિરામિક ઉધોગપતિ ગોવિંદભાઈ વરમોરા તેમજ હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે કેસરિયા ખેસ ધારણ કર્યા હતા અને રણમલપુર ગામના કોંગ્રેસી આગેવાન સહિત કુલ મળીને 300 જેટલા લોકોએ કોંગ્રેસનો હાથ છોડીને આજે કેસરિયો ખેસ ધારણ કર્યો છે

હાલમાં જે કોંગી આગેવાનોએ કોંગ્રેસ છોડીનો કેસરીયો ખેસ ધારણ કરેલ છે તેમા  પુનાભાઈ રાઠોડ (રણમલપુર ગ્રામ પંચાયતના સરપંચ), જયંતીભાઈ પારેજીયા (હળવદ તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ), ત્રિશાલ પારેજીયા (યુથ કોંગ્રેસ અગ્રણી), યાજ્ઞિક ગોપાણી (કોંગ્રેસ મીડિયા સેલ પ્રમુખ), હસમુખ થળોદા (તાલુકા પંચાયત સદસ્ય ), ભીખાલાલ સંઘાણી (હળવદ કોંગ્રેસ અગ્રણી), મિલન કાવર (યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ), હરેશ ગોઠી (એનએસયુઆઇના પ્રમુખ હળવદ), નિલેશભાઈ (સરપંચ જસ્મતપુર), જાંજળભાઈ રબારી અને જીતેન્દ્રભાઇ ઈશ્વરભાઇ વરમોરા સહિતના આગેવાનો તેમજ 300 જેટલા કોંગી કાર્યકરોનો સમાવેશ થયા છે અને આખુ ગામ ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ના વાવાઝોડામાં કેસરિયા રંગે રંગાયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી






Latest News