મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં મકાન વેચાણના પૈસા બાબતે મહિલાને માર મારવાના ગુનામાં માતા, બેન-બનેવી અને બે ભાણેજની ધરપકડ


SHARE











મોરબીમાં મકાન વેચાણના પૈસા બાબતે મહિલાને માર મારવાના ગુનામાં માતા, બેન-બનેવી અને બે ભાણેજની ધરપકડ

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહિલા ઉપર છરી, પાઇપ અને છુટા ટાઇલ્સના ઘા કરીને હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદમાં ખુલ્યું હતું કે, માતાના મકાન વેચાણના પૈસા બાબતે મહિલા ઉપર તેની જ માતા, બેન-બનેવી અને બે ભાણેજ દ્રારા હુમલો કરવામાં આવેલ છે. જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પાંચ આરોપીઓને પકડવામાં આવેલ છે

જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબીના વીશીપરાની રહેવાસી નિલમબેન અનિલભાઈ બીજલભાઇ જાદવ (ઉમર ૩૨) કે જેના લગ્ન અમદાવાદ ખાતે થયેલા હોય હાલ તે પતિ સાથે અમદાવાદ એલિસબ્રિજ આંબેડકર કોલોની વિસ્તારમાં નારાયણ માલાની ચાલીમાં રહે છે તેણી મોરબી આવી હતી અને અહીં તેની માતા સવિતાબેનનું મકાન વેચાયું હોય તેના મકાનના પૈસાના ભાગ બાબતે માતા સવિતાબેન તેમજ બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા અને બનેવી જગદીશ બળવંત દાફડા રહે. બંને મોટા મોવા રાજકોટ તેમજ અમદાવાદ રહેતા બે ભાણેજ સુનીલ અને જીગ્નેશ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો અને પાંચેયએ એકસંપ કરીને નિલમબેનને મૂઢમાર માર્યો હતો તેમજ છરી અને પાઇપ વડે ઇજાઓ પહોંચાડીને છુટા ટાઇલ્સના ઘા કરવામાં આવ્યા હતા.જેથી કરીને ઇજાગ્રસ્ત થયેલા નીલમબેન જાદવને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા

ત્યાર બાદમાં ભોગ બનેલ નિલમબેન જાદવ દ્વારા બહેનના દિકરા એટલે કે, સુનિલ અનિલ જાદવ, જીગ્નેશ ઉર્ફે જીગર અનિલ જાદવ અને માતા સવિતાબેન અનિલ જાદવ રહે. એલિસબ્રિજ આંબેડકર કોલોની અમદાવાદ, બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા અને બનેવી જગદીશ બળવંત દાફડા રહે. બંને મોટા મોવા રાજકોટ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, માતા સવિતાબેનના મકાન વેચાણના પૈસા બાબતે મનદુ:ખ રાખીને ભાણેજ સુનિલ અને જિગ્નેશે છરી અને પાઇપ વડે પોતાને માર માર્યો હતો જ્યારે માતા સવિતાબેન અને બહેન જ્યોતિબેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બનેવી જગદીશભાઈ દ્વારા છુટા ટાઇલ્સના ઘા કરીને ઇજાઓ કરી હતી આ ગુનામાં પોલીસે સુનિલ અનિલ જાદવ (૨૪), જીગ્નેશ ઉર્ફે જીગર અનિલ જાદવ (૨૨) અને માતા સવિતાબેન અનિલ જાદવ (૫૮) રહે. એલિસબ્રિજ આંબેડકર કોલોની અમદાવાદ, બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા (૩૫) અને બનેવી જગદીશ બળવંત દાફડા (૪૨) રહે. બંને મોટા મોવા રાજકોટની ધરપકડ કરવામાં આવી છે






Latest News