મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ


SHARE











મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ

મોરબીના શનાળા રોડ કંડલા બાયપાસ ઉપર આવેલ ધર્મસુષ્ટિ સોસાયટીમાં મોડી રાત્રીના વીજ પોલ ઉપર લગાવવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ લાગી હતી અને જેને પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો જોકે સ્થળ ઉપરના લોકો દ્વારા ઊંચાઈ ઉપર ચડીને પાણી નાખીને આગ બુજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ પ્રકારના વિજલાઇનમાં આગ લાગવાના બનાવો આ વિસ્તારમાં બન્યા છે અને અનેક વખત આ વિસ્તારના સ્થાનિકો દ્વારા પીજીવીસીએલને જાણ કરવામાં આવેલી છે પરંતુ યોગ્ય કાર્યવાહી થતી ન હોય અને સમયાંતરે આ પ્રકારના જોખમી આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે જેથી કરીને સ્થાનિક લોકોમાં પીજીવીસીએલની કામગીરી પ્રત્યે શંકા કુશંકાઓ પ્રવર્તી રહી છે






Latest News