મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ઝુલતા પુલના દિવંગતો માટે યોજાશે વિષ્ણુયાગ


SHARE











મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ઝુલતા પુલના દિવંગતો માટે યોજાશે વિષ્ણુયાગ
 

તાજેતરમાં મોરબીમાં ઝુલતા પુલની ગુજારી દુર્ઘટના બની અને તેમા ૧૩૫ લોકોના અકાળે જીવ ગયા તે નિમિત્તે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે આગામી તા.૧૫ ને મંગળવારે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના હતભાગીઓ માટે મોરબી સહીત તમામ જગ્યાઓએ ઠેરઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા આગામી તારીખ ૧૫ ને મંગળવારના રોજ સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી અહીંના રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર ખાતે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે.


ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા મોરબી જુલતાં પુલની દુર્ઘટનામાં મુત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલી માટે રામધૂન રાખેલ છે સર્વે સમાજના લોકોને તેમાં જાહેર આમંત્રણ આપવામા આવેલ છે.આજે તા.૧૧-૧૧ ને શુક્રવારે સાંજે ૮:૩૦ કલાકે વેલનાથ ધામ, માળિયા ફાટક, મોરબી-૨ ખાતે રામધુન યોજાશે.

રામામંડળ ભજવાશે
મોરબીના ભરતનગર ગામે તા.૧૩ ને રવિવારે રાત્રીના નવ વાગ્યે રામામંડળનું આયોજન કરવામાં આવેલ છે. ગૌશાળાના લાભાર્થે યોજાનાર આ રામામંડળમાં શ્રી પીઠડાઈ ગૌસેવા રામામંડળ-પીઠડ દ્વારા રામદેવપીરનું જીવન ચરિત્ર સંગીતમય રજૂઆત સાથે ભજવવામાં આવશે. જેથી આયોજકો દ્વારા સર્વે ગૌપ્રેમીઓને રામામંડળમાં પધારવા જાહર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News