એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) ના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા પીને ભર્યું અંતિમ પગલું


SHARE











માળીયા (મી) ના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા પીને ભર્યું અંતિમ પગલું

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક તેને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવવાની માળિયા મીયાણા તાલુકો પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી રેસમાબેન કાદરભાઈ મોવર (૧૯) નામની યુવતી રાખોડિયા વાળા ખેતરે હતી ત્યારે કોઈ કારણોસર કેરી દવા પી લીધી હતી જેથી તેને મોઢામાંથી ફિણ નીકળવા લાગ્યા હતા માટે તેનો ભાઈ હનીફભાઈ કાદરભાઈ મોવર તાત્કાલિક તેમને સારવાર માટે માળિયા મીયાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈતો તપાસીને મૃત જાહેર કરી હતી અને આપઘાતના આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

બીમારી સબબ મોત

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા પ્રવીણભાઈ ચતુરભાઈ વોરા (૫૪) ને બીમારી સબબ  સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસની જાણ કરી હતી વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતકને પેટમાં પાણી ભરાવાની બીમારી હોય તે બીમારી સબબ તેનું મૃત્યુ નીપજ્યું હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.






Latest News