વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) ના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા પીને ભર્યું અંતિમ પગલું


SHARE











માળીયા (મી) ના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા પીને ભર્યું અંતિમ પગલું

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક તેને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવવાની માળિયા મીયાણા તાલુકો પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી રેસમાબેન કાદરભાઈ મોવર (૧૯) નામની યુવતી રાખોડિયા વાળા ખેતરે હતી ત્યારે કોઈ કારણોસર કેરી દવા પી લીધી હતી જેથી તેને મોઢામાંથી ફિણ નીકળવા લાગ્યા હતા માટે તેનો ભાઈ હનીફભાઈ કાદરભાઈ મોવર તાત્કાલિક તેમને સારવાર માટે માળિયા મીયાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈતો તપાસીને મૃત જાહેર કરી હતી અને આપઘાતના આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

બીમારી સબબ મોત

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા પ્રવીણભાઈ ચતુરભાઈ વોરા (૫૪) ને બીમારી સબબ  સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસની જાણ કરી હતી વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતકને પેટમાં પાણી ભરાવાની બીમારી હોય તે બીમારી સબબ તેનું મૃત્યુ નીપજ્યું હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.






Latest News