તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી પાસે અગરના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











માળીયા (મી)ના વર્ષામેડી પાસે અગરના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામની સીમમાં આવેલ અગરના તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ મહારાજા સૉલ્ટ વર્કસના અગરના તળાવના પાણીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવા અંગેની ચિરાગભાઈ લાલજીભાઈ સીતાપરા (૨૭) રહે. વર્ષામેડી વાળાએ માળિયા તાલુકા પોલીસે જાણ કરી હતી જેથી કરીને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે માળિયા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તેને તજવીજ શરૂ કરવામાં આવી હતી દરમિયાન પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે મૃતક વ્યક્તિનું નામ જગદીશભાઈ શંકરભાઈ પારધી (૫૦) રહે. વવાણીયા વાળો છે જેથી પોલીસે તેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામ પાસે આવેલ એક્ઝીસન્સ વિટ્રીફાઈડ નામના કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા રમેશસિંગ નરેન્દ્રસિંગ (૪૫) નું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની માળીયા તાલુકા પોલીસની જાણ કરવામાં આવી હતી.






Latest News