વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના માળીયા તાલુકાના નવાગામના ખેડુતોને પાક વિમા મુદદે અન્યાય : આવેદન અપાયુ


SHARE











મોરબીના માળીયા તાલુકાના નવાગામના ખેડુતોને પાક વિમા મુદદે અન્યાય : આવેદન અપાયુ

ગત ચોમાસામાં અતિ વરસાદને લીધે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થતા મોરબી જિલ્લાના અનેક ગામડાઓમાં ખેતીના પાકને નુકસાન પહોંચ્યુ હતુ તે રીતે જ મોરબીના માળિયા તાલુકાના અને ગામડાઓમાં નુકસાની થયેલી હોય અને તેના સર્વે દ્વારા તેઓને રાહત પેકેજ આપવાની વાત થયેલ છે. પરંતુ તે પૈકીના માળીયા તાલુકાના નવાગામના ખેડૂતોને થયેલ અન્યાય માટે ખેડુતોએ તેઓએ થયેલ આ અન્યાય દૂર કરવા માટે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું

ગુજરાતમાં ભાર વરસાદને લીધે મોરબીના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતુ. મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે અનેક ગામના ખેડુતોને સરકાર દ્રારા રાહત પેકેજ આપવામાં આવે પરંતુ માળીયાના નવાગામને રાહત પેકેજમાં લાભ આપવામાં આવ્યો ન હોય નવાગામના ખેડુત આગેવાનોએ આ અંગે મોરબી ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે કૃષિ રાહત પેકેજનો લાભ આપો નહિતર અમારે ના છુટકે ન્યાયતંત્રનો સહારો લેવો પડશે. નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે આ વર્ષે ખરીફ સીઝનમાં સતત વરસાદ થવાથી નવાગામના ખેડૂતોને પાક નુકસાની ગયેલ છે. જે બાબતે તેઓએ ગત તા.૧૬-૯-૨૨ ના રોજ પણ રજૂઆત કરી હતી અને નવાગામને પાક નુકસાની સહાય ચુકવવાની માંગણી કરી હતી. પરંતુ સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ કૃષિ રાહત પેકેજમાં નવાગામનો સમાવેશ કરવામાં આવ્યો નથી..! જોકે નવાગામની આસપાસના ચારેય બાજુના ગામો જેમ કે રાસંગપર, મેધપર, મોટી બરાર, સરવડ વિગેરે ગામોનો સમાવેશ રાહત પેકેજમાં કરવામાં આવેલ છે..! છતાં નવાગામનો સમાવેશ આ રાહત પેકેજમાં કરવામાં આવેલ નથી. જેથી ખેતીવાડી અધિકારીને મળીને નવાગામનો સત્વરે આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે નવિનભાઇ  ઘુમલીયા, લાલજીભાઈ કોઠીયા, ધનજીભાઈ દેત્રોજા, હસુભાઈ ઘુમલિયા, નરભેરામભાઈ ધોરીયાણી, મહેશભાઈ ભરવાડ સહીતનાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.






Latest News