મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના માળીયા તાલુકાના નવાગામના ખેડુતોને પાક વિમા મુદદે અન્યાય : આવેદન અપાયુ


SHARE







મોરબીના માળીયા તાલુકાના નવાગામના ખેડુતોને પાક વિમા મુદદે અન્યાય : આવેદન અપાયુ

ગત ચોમાસામાં અતિ વરસાદને લીધે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થતા મોરબી જિલ્લાના અનેક ગામડાઓમાં ખેતીના પાકને નુકસાન પહોંચ્યુ હતુ તે રીતે જ મોરબીના માળિયા તાલુકાના અને ગામડાઓમાં નુકસાની થયેલી હોય અને તેના સર્વે દ્વારા તેઓને રાહત પેકેજ આપવાની વાત થયેલ છે. પરંતુ તે પૈકીના માળીયા તાલુકાના નવાગામના ખેડૂતોને થયેલ અન્યાય માટે ખેડુતોએ તેઓએ થયેલ આ અન્યાય દૂર કરવા માટે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું

ગુજરાતમાં ભાર વરસાદને લીધે મોરબીના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતુ. મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે અનેક ગામના ખેડુતોને સરકાર દ્રારા રાહત પેકેજ આપવામાં આવે પરંતુ માળીયાના નવાગામને રાહત પેકેજમાં લાભ આપવામાં આવ્યો ન હોય નવાગામના ખેડુત આગેવાનોએ આ અંગે મોરબી ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે કૃષિ રાહત પેકેજનો લાભ આપો નહિતર અમારે ના છુટકે ન્યાયતંત્રનો સહારો લેવો પડશે. નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે આ વર્ષે ખરીફ સીઝનમાં સતત વરસાદ થવાથી નવાગામના ખેડૂતોને પાક નુકસાની ગયેલ છે. જે બાબતે તેઓએ ગત તા.૧૬-૯-૨૨ ના રોજ પણ રજૂઆત કરી હતી અને નવાગામને પાક નુકસાની સહાય ચુકવવાની માંગણી કરી હતી. પરંતુ સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ કૃષિ રાહત પેકેજમાં નવાગામનો સમાવેશ કરવામાં આવ્યો નથી..! જોકે નવાગામની આસપાસના ચારેય બાજુના ગામો જેમ કે રાસંગપર, મેધપર, મોટી બરાર, સરવડ વિગેરે ગામોનો સમાવેશ રાહત પેકેજમાં કરવામાં આવેલ છે..! છતાં નવાગામનો સમાવેશ આ રાહત પેકેજમાં કરવામાં આવેલ નથી. જેથી ખેતીવાડી અધિકારીને મળીને નવાગામનો સત્વરે આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે નવિનભાઇ  ઘુમલીયા, લાલજીભાઈ કોઠીયા, ધનજીભાઈ દેત્રોજા, હસુભાઈ ઘુમલિયા, નરભેરામભાઈ ધોરીયાણી, મહેશભાઈ ભરવાડ સહીતનાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.






Latest News