ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી કહી ત્રાસ દેવામાં આવતા વાંકાનેરની પરણીતાએ પતિ સહિત સાત સામે નોંધાવી ફરિયાદ


SHARE











તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી કહી ત્રાસ દેવામાં આવતા વાંકાનેરની પરણીતાએ પતિ સહિત સાત સામે નોંધાવી ફરિયાદ

રાજકોટના જાળીયા ગામની પરણીતાએ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ મળીને સાત સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી તેવું કહીને અવારનવાર મેળા ટોણા મારી બોલાચાલી કરીને ગાળો આપી હતી અને તેને માર મારવામાં આવ્યો હતો આવતો હતો તેમજ મહિલાએ કરેલ કેસને પાછો ખેંચી લેવા માટે થઈને પતિ અને સસરા દ્વારા ધમકી દેવામાં આવી હતી જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે પતિ સહિતના સાતની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ રાજકોટના જાળીયા ગામની પરણીતા હાલમાં વાંકાનેરની પેડક સોસાયટીમાં તેના માવતરના ઘરે હોય આરતીબેન જીગ્નેશભાઈ ચાવડા (૨૬)એ તેના પતિ જીગ્નેશભાઈ ચાવડા, સસરા મનસુખભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, સાસુ મંજુલાબેન મનસુખભાઈ ચાવડા, જેઠ જયદેવભાઈ મનસુખભાઈ ચાવડા, જેઠાણી દક્ષાબેન જયદેવભાઈ ચાવડા, નણંદ મનીષાબેન મનસુખભાઈ ચાવડા અને મમતાબેન મનસુખભાઈ ચાવડા રહે. બધા જાળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે નાની-નાની બાબતોમાં અને ઘરકામ બાબતે તેની સાથે બોલાચાલી કરી માથાકૂટ કરતા હતા તેમજ તું કરિયાવરમાં કંઈ સારું લાવેલ નથી તેવું કહીને અવારનવાર બોલાચાલી કરી ગાળો આપીને મારપીટ કરતા હતા અને તેણે કરેલ કેસ પાછો ખેંચી લેવા માટે તેના પતિ તથા સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News