સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે પુલ ઉપર કેટલા સહેલાણી હતા ?


SHARE





મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે પુલ ઉપર કેટલા સહેલાણી હતા ?

મોરબીનો ઝુલતો પુલ રવિવારે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ધડાકાભેર તૂટી પડ્યો હતો અને લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી તેમજ લોકોના હૈયાફાટ રૂદન અને આક્રદના દ્રશ્યો મચ્છુ નદીના પટમાં સર્જાયા હતા કારણ કે, કોઈએ પોતાનો દીકરો, કોઈએ પોતાની બહેન, કોઈએ પોતાના સંતાનો, કોઈએ પોતાના ભાઇ-બહેન, કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા હતા જેથી કરીને લોકો નોંધારા બની ગયા હતા અને કોઈપણ પ્રકારની સહાય આવે ત્યાં સુધી તેમની નજર સામે પોતાના સ્વજનોને મચ્છુ નદીના પાણીમાં ડૂબતા જોવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ખરેખર ઝુલતો પુલ જ્યારે તુટ્યો ત્યારે ત્યાં ઝુલતા પુલ ઉપર કેટલા લોકો હતા આ બાબતને લઈને તપાસ કરતા ડીવાયએસપી ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૩૫૦ થી ૪૦૦ જેટલા લોકો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની ત્યારે ત્યાં ઝુલતા પુલ ઉપર હાજર હતા જોકે જે ભાગ હેંગિંગ થાય છે ત્યાં અંદાજે ૩૦૦ જેટલા લોકો હોવાની માહિતી હાલમાં મળી રહી છે પરંતુ ચોક્કસપણે ત્યાં કેટલા લોકો હતા તેના નજીકના આંકડા સુધી પહોંચી શકાય તેના માટે ટેકનિકલ ટીમ અને અન્ય તમામ ટીમો દ્વારા જુદી જુદી રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે




Latest News