મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે પુલ ઉપર કેટલા સહેલાણી હતા ?


SHARE











મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે પુલ ઉપર કેટલા સહેલાણી હતા ?

મોરબીનો ઝુલતો પુલ રવિવારે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ધડાકાભેર તૂટી પડ્યો હતો અને લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી તેમજ લોકોના હૈયાફાટ રૂદન અને આક્રદના દ્રશ્યો મચ્છુ નદીના પટમાં સર્જાયા હતા કારણ કે, કોઈએ પોતાનો દીકરો, કોઈએ પોતાની બહેન, કોઈએ પોતાના સંતાનો, કોઈએ પોતાના ભાઇ-બહેન, કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા હતા જેથી કરીને લોકો નોંધારા બની ગયા હતા અને કોઈપણ પ્રકારની સહાય આવે ત્યાં સુધી તેમની નજર સામે પોતાના સ્વજનોને મચ્છુ નદીના પાણીમાં ડૂબતા જોવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ખરેખર ઝુલતો પુલ જ્યારે તુટ્યો ત્યારે ત્યાં ઝુલતા પુલ ઉપર કેટલા લોકો હતા આ બાબતને લઈને તપાસ કરતા ડીવાયએસપી ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૩૫૦ થી ૪૦૦ જેટલા લોકો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની ત્યારે ત્યાં ઝુલતા પુલ ઉપર હાજર હતા જોકે જે ભાગ હેંગિંગ થાય છે ત્યાં અંદાજે ૩૦૦ જેટલા લોકો હોવાની માહિતી હાલમાં મળી રહી છે પરંતુ ચોક્કસપણે ત્યાં કેટલા લોકો હતા તેના નજીકના આંકડા સુધી પહોંચી શકાય તેના માટે ટેકનિકલ ટીમ અને અન્ય તમામ ટીમો દ્વારા જુદી જુદી રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે






Latest News