મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ઓરેવા ટ્રસ્ટે બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલ છઠ્ઠના દિવસે બન્યો કાળમુખો


SHARE











મોરબીમાં ઓરેવા ટ્રસ્ટે બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલ છઠ્ઠના દિવસે બન્યો કાળમુખો

ભારતમાં જે જ ઝૂલતા પુલ છે તેમાં એક લક્ષ્મણ ઝુલા અને બીજો મોરબીનો ઝુલતો પુલ હતો અને આપુલનું રિનોવેશન કરીને નવા વર્ષના પહેલા દિવસે જ આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જો કે, માત્ર પાંચ દિવસમાં રવિવારની સાંજે જયારે ૪૦૦ થી વધુ લોકો આ પુલ ઉપર હતા ત્યારે અચાનક જ આ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને નિર્દોષ આનંદ લેવા માટે પરિવાર સાથે આવેલા લોકો માટે આ પુલ કાલમુખો બની રહ્યો હતો તે હકકીત છે.

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ગત માર્ચ માહિનામાં મોરબીના ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ હતી અને ૧૫ વર્ષ સુધી આ પુલની તમામ જવાબદારી સાથે આ પુલ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતી જેથી કરીને  જર્જરીત ઝૂલતા પુલને રીપેર કરવા માટે છેલ્લા સાત મહિનાથી બંધ કરવામાં આવેલ હતો જો કે, બેસતા વર્ષે જ આ રીપેરીંગ કામ પૂરું થયેલ હોવાથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો અને દરરોજ સરેરાશ ત્રણ હજાર જેટલા લોકો છેલ્લા પાંચ દિવસમાં આ પુલ ઉપર આવેલ હતા અને છઠ્ઠના દિવસે સાંજના સાડા છ વાગ્યે ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને આ પુલ ઉપર પરિવાર સાથે હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી ૧૩૦ થી વધુ લોકો માટે આ પુલ કામુખો સાબિત થયો છે અને સાંજે સાત વાગ્યે બનેલ દુર્ઘટના પછી નદીમાં પડી ગયેલા લોકોની લાશોને બહાર કાઢવા માટેની કામગીરી બીજા દિવસે સવાર સુધી કરવામાં આવી તો પણ હજુ નદીમાંથી લાશો નીકળે છે જેથી લોકોનો મૃત્યુ આંક હજુ પણ વધે તેવી શક્યતા છે.






Latest News