મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓરેવા ટ્રસ્ટે બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલ છઠ્ઠના દિવસે બન્યો કાળમુખો


SHARE







મોરબીમાં ઓરેવા ટ્રસ્ટે બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલ છઠ્ઠના દિવસે બન્યો કાળમુખો

ભારતમાં જે જ ઝૂલતા પુલ છે તેમાં એક લક્ષ્મણ ઝુલા અને બીજો મોરબીનો ઝુલતો પુલ હતો અને આપુલનું રિનોવેશન કરીને નવા વર્ષના પહેલા દિવસે જ આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જો કે, માત્ર પાંચ દિવસમાં રવિવારની સાંજે જયારે ૪૦૦ થી વધુ લોકો આ પુલ ઉપર હતા ત્યારે અચાનક જ આ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને નિર્દોષ આનંદ લેવા માટે પરિવાર સાથે આવેલા લોકો માટે આ પુલ કાલમુખો બની રહ્યો હતો તે હકકીત છે.

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ગત માર્ચ માહિનામાં મોરબીના ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ હતી અને ૧૫ વર્ષ સુધી આ પુલની તમામ જવાબદારી સાથે આ પુલ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતી જેથી કરીને  જર્જરીત ઝૂલતા પુલને રીપેર કરવા માટે છેલ્લા સાત મહિનાથી બંધ કરવામાં આવેલ હતો જો કે, બેસતા વર્ષે જ આ રીપેરીંગ કામ પૂરું થયેલ હોવાથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો અને દરરોજ સરેરાશ ત્રણ હજાર જેટલા લોકો છેલ્લા પાંચ દિવસમાં આ પુલ ઉપર આવેલ હતા અને છઠ્ઠના દિવસે સાંજના સાડા છ વાગ્યે ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને આ પુલ ઉપર પરિવાર સાથે હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી ૧૩૦ થી વધુ લોકો માટે આ પુલ કામુખો સાબિત થયો છે અને સાંજે સાત વાગ્યે બનેલ દુર્ઘટના પછી નદીમાં પડી ગયેલા લોકોની લાશોને બહાર કાઢવા માટેની કામગીરી બીજા દિવસે સવાર સુધી કરવામાં આવી તો પણ હજુ નદીમાંથી લાશો નીકળે છે જેથી લોકોનો મૃત્યુ આંક હજુ પણ વધે તેવી શક્યતા છે.






Latest News