જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલને શરૂ કરતાં પહેલા પાલિકાને જાણ કરેલ નથી : ચીફ ઓફિસર


SHARE











મોરબીમાં ઝૂલતા પૂલને શરૂ કરતાં પહેલા પાલિકાને જાણ કરેલ નથી : ચીફ ઓફિસર

મોરબીમાં ઝૂલતા પૂલને કાર્યરત કરવામાં આવ્યો ત્યાર પહેલા તેના યુઝ માટેની પરિમિશન લેવામાં આવી ન હતી અને સ્ટ્ર્ક્ચરને વાપરવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી અને રિનોવેશન બાદ પુલને વાપરવા માટે ખુલ્લો મૂકી દેવામાં આવેલ છે તેવું પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું. 

ઝૂલતા પૂલ ઉપર રવિવારે ઘણા લોકો પુલ ઉપર હતા ત્યારે ઉલ તૂટી ગયો હતો અને અનેક લોકોના મોત થયા છે ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પુલનું રીનોવેશન કામ કરવામાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ ઓરેવા ટ્રસ્ટ દ્વારા તેનું વેરિફિકેશન કર્વમાં આવ્યું ન હતું અને ગંભીર બેદરકારી રાખીને આ પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને પુલ તૂટ્યો છે આટલું જ નહીં પરંતુ આ પુલ ઉપર કેટલા લોકો એકીસાથે પસાર થઈ શકે છે તે અંગેની કોઈ જાણકારી ત્યાં કામ કરતાં લોકો પાસે હતી નહીં અને ધડોધડ લોકોને પુલ ઉપર મોકલવામાં આવતા હતા જેથી કરીને એકીસાથે વધુ લોકો પુલ ઉપર આવી જતાં આ દુર્ઘટના બની છે તેવું કહી તો પણ અતિશયોક્તિ નથી.






Latest News