મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નારાયણ સેવા સંસ્થા દ્રારા સ્નેહ મિલન અને ભામાશા સમ્માન સમારોહનું આયોજન


SHARE











મોરબીમાં નારાયણ સેવા સંસ્થા દ્રારા સ્નેહ મિલન અને ભામાશા સમ્માન સમારોહનું આયોજન

રાજસ્થાનના ઉદયપુર ખાતે નારાયણ સેવા સંસ્થાન દ્વારા જન્મજાત વિકલાંગોની સેવા કરવામાં આવી રહી છે અને આ ભગીરથ સેવા કાર્યમાં જે કોઈ આર્થિક સહયોગી દાતાઓ છે તેઓનો સન્માન કરવા અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.આવતી કાલે તા.૩૦ ને રવિવારના રોજ મોરબી ખાતે દાનવિપોના સન્માનની સાથે નવા વર્ષે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ભામાશા જેવા દાનવીરોના વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમથી ગરીબ, અસહાય, અપંગ ભાઈ-બહેનોની સેવા માટે નર સેવા એજ નારાયણ સેવાની ભાવના સાથે ઘણા વર્ષોથી નારાયણ સેવા સંસ્થાનમાં સેવા ચાલી રહેલ છે.દાતાઓના સહયોગથી સંસ્થાન ૩૭ વર્ષોથી જન્મજાત વિકલાંગોના ઓપરેશન કરીને સંસ્થાએ લગભગ ૪,૭૫,૦૦૦ વિકલાંગોના સફળ ઓપરેશન કરીને તેમના જીવનમાં સુખના પ્રાણ પુર્યા છે.આ પરંપરાને જીવિત રાખવા અને આગળ વધારવાના ઉદ્દેશથી સંસ્થાએ આત્મીય સ્નેહ મિલન અને ભામાશા સમારોહનું આયોજન કરી દાનવીરોને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.આ સમારોહમાં પ.પૂ. ડો. કૈલાશ માનવના પ્રમુખ ઉપસ્થિત રહી દાતાઓનું સન્માન કરશે. નારાયણ સેવા સંસ્થાન, ઉદેપુર દ્વારા આયોજિત આત્મીય સ્નેહ મિલન સમારોહ તા.૩૦-૧૦ ને રવિવારે સવારે ૧૧ કલાકે શ્રી વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, નવા ડેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે આયોજન કરવામાં આવેલ છે.આ આયોજનમાં મોરબી જિલ્લાના ૨૦૦ થી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવશે.વધુ માહિતી માટે તરૂણભાઈ નાગદા (રાજકોટ નારાયણ સેવા સંસ્થાન ઈન્ચાર્જ) મો. ૯૫૨૯૯ ૨૦૦૮૩ ઉપર કોન્ટેક કરવા યાદીમાં જણાાયેલ છે.






Latest News