મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું


SHARE











મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું

મોરબીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વગેરે હોદા ઉપર ફરજ બજાવેલ ચૂકેલા અને પોતાની ફરજ પ્રત્યે પ્રતિબદ્ધ અને કટીબદ્ધ કર્મઠ એવા અશોકભાઈ વડાલીયા (કેળવણી નિરીક્ષક) વય મર્યાદાના કારણે નિવૃત થતાં શિક્ષકોના તમામ સંગઠનના કાર્યકર્તાઓ પે-સેન્ટર શાળાના તમામ આચાર્યો,તમામ તાલુકાના વર્તમાન તથા પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ મોરબી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કર્મવિરોની ઉપસ્થિતમાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ નિવૃત્તિ બદલ સાકર પડો, નાળિયેર,સાલ,મોમેન્ટો,પુસ્તક અર્પણ કરી અશોકભાઈનું સન્માન કર્યું હતું, ખાસ કરીને નિલેશભાઈ કૈલા (કે.ની.શિક્ષણ), મુકેશભાઈ મારવણીયા (જિલ્લા મહામંત્રી મુખ્ય શિક્ષક સંઘ), દિનેશભાઈ વડસોલા (જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ), દિનેશભાઈ ગરચર, સી.સી.કાવર, ડો.જે.જી.વોરા પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વગેરેએ અશોકભાઈ વડાલીયાની સેવાને બિરદાવી હતી, અંતમાં અશોકભાઈ વડાલિયાએ પોતાની શૈક્ષણિક તેમજ વહીવટ સફરમાં થયેલા અવનવા અનુભવો વર્ણવ્યા હતા અને સાથે કામ કરનાર તમામ કર્મયોગીઓ,ઉપરી અધિકારીઓ તેમજ પોતાના પરિવારજનોનો આભાર પ્રકટ કર્યો હતો, આ પ્રસંગે  વિનોદભાઈ ગોધાણી (પ્રમુખ મુખ્ય શિક્ષક સંઘ), દિનેશભાઈ હુંબલ (પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ તાલુકા શાળાના આચાર્યોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News