મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ મોરબીમાં એકટીવા આપવાની ના પાડતા ધોકા વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી ! મોરબીના ઘાંટીલા ગામે સીમમાં ડીઝલ ચોરી કરતા ચાર પૈકી એક પકડાયો, ત્રણ ફરાર મોરબીમાં પરસેવામાં પરસેવો પાડી રહેલા પરહિતકર્મ ગૃપની સેવા પ્રેરણાદાયી મોરબીની ઓસેમ જીએસઇબી શાળામાં ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઈ મોરબી : પત્નીના અવસાનનો વિરહ સહન ન થતા ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના વલાસણમાં નજીવી વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના વલાસણમાં નજીવી વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે નજીકની વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી થઈ હતી જેથી કરીને ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં બંને પક્ષેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા (૬૦) એ હાલમાં તેના ભાઈ રસુલભાઈ અલાઉદીનભાઈ મસાણીયા, સુલતાનભાઈ હુસેનગનીભાઈ મસાણીયા, શાહબુદ્દીનભાઈ ઈસ્માઈલભાઈ મસાણીયા અને અલ્મેજ મહમદભાઈ મસાણીયા રહે. ચારેય વાલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના સગા ભાઈ અને ભત્રીજા દ્વારા તેઓની ભાઈયુ ભાગની મિલકતના ભાગ બટાઈ થઈ ગયેલ છે છતાં પણ એક સંપ કરીને તેઓના નાના ભાઈ અને રસુલભાઈ તથા ફરિયાદીના મોટા ભાઈના દીકરાને આરોપી સુલતાન, શાહબુદ્દીન તેમજ અલ્મેજ દ્વારા ફળિયામાં આવીને પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી તેને વચ્ચે પડતા તેને પણ માથાને કાનના ભાગે માર માર્યો હતો અને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદી તેમજ સિકંદરભાઈ અબ્દુલભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં અબ્દુલભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં દીનારબેન રસુલભાઈ માણસીયા (૨૧) એ હાલમાં મદીનાબેન અબ્દુલભાઈ માણસિયા, રોશનબેન અબ્દુલભાઈ માણસિયા, સિકંદરભાઈ અબ્દુલભાઈ માણસિયા અને અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા રહે. ચારેય વાલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓની ભેંસ છૂટીને તેના ભેંસના ખીલા પાસે આવી હતી અને ત્યાં ફરિયાદીની ભેંસનો ખીલો તોડાવતા ફરિયાદીની ભેંસ છૂટી જતા આરોપીના ફળિયામાં ગઈ હતી અત્યારે આરોપીએ તેને ગાળો આપીને ઢીકાપાટોનો માર માર્યો હતો તેમજ સિકંદરે લોખંડનું આડુ ફરિયાદીને કેડના ભાગમાં માર્યું હતું જેથી તેને ઈજા થઇ હતી અને ફરિયાદીને સારવારમાં લઈને ગયા હતા ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News