મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના વલાસણમાં નજીવી વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ


SHARE







વાંકાનેરના વલાસણમાં નજીવી વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે નજીકની વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી થઈ હતી જેથી કરીને ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં બંને પક્ષેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા (૬૦) એ હાલમાં તેના ભાઈ રસુલભાઈ અલાઉદીનભાઈ મસાણીયા, સુલતાનભાઈ હુસેનગનીભાઈ મસાણીયા, શાહબુદ્દીનભાઈ ઈસ્માઈલભાઈ મસાણીયા અને અલ્મેજ મહમદભાઈ મસાણીયા રહે. ચારેય વાલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના સગા ભાઈ અને ભત્રીજા દ્વારા તેઓની ભાઈયુ ભાગની મિલકતના ભાગ બટાઈ થઈ ગયેલ છે છતાં પણ એક સંપ કરીને તેઓના નાના ભાઈ અને રસુલભાઈ તથા ફરિયાદીના મોટા ભાઈના દીકરાને આરોપી સુલતાન, શાહબુદ્દીન તેમજ અલ્મેજ દ્વારા ફળિયામાં આવીને પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી તેને વચ્ચે પડતા તેને પણ માથાને કાનના ભાગે માર માર્યો હતો અને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદી તેમજ સિકંદરભાઈ અબ્દુલભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં અબ્દુલભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં દીનારબેન રસુલભાઈ માણસીયા (૨૧) એ હાલમાં મદીનાબેન અબ્દુલભાઈ માણસિયા, રોશનબેન અબ્દુલભાઈ માણસિયા, સિકંદરભાઈ અબ્દુલભાઈ માણસિયા અને અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા રહે. ચારેય વાલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓની ભેંસ છૂટીને તેના ભેંસના ખીલા પાસે આવી હતી અને ત્યાં ફરિયાદીની ભેંસનો ખીલો તોડાવતા ફરિયાદીની ભેંસ છૂટી જતા આરોપીના ફળિયામાં ગઈ હતી અત્યારે આરોપીએ તેને ગાળો આપીને ઢીકાપાટોનો માર માર્યો હતો તેમજ સિકંદરે લોખંડનું આડુ ફરિયાદીને કેડના ભાગમાં માર્યું હતું જેથી તેને ઈજા થઇ હતી અને ફરિયાદીને સારવારમાં લઈને ગયા હતા ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News