હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

અકસ્માત પહેલા અગમચેતી: મોરબીમાં જાહેરમાં લીલો ઘાસચારાનો નાખતા વેપારી સામે નોંધાયો ગુનો


SHARE











અકસ્માત પહેલા અગમચેતી: મોરબીમાં જાહેરમાં લીલો ઘાસચારાનો નાખતા વેપારી સામે નોંધાયો ગુનો

મોરબીના જેલ રોડ ઉપર લીલા ઘાસચારાનો વાળો રાખીને ત્યાં રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે લીલૂ ઘાસ નાખતા વેપારી સામે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે શહેરના સનાડા, નવલખી રોડ તેમજ બેઠા પુલ પાસે અને અન્ય જગ્યાએ રોડ રસ્તાની આસપાસમાં આવી રીતે લીલા ઘાસના વાડા રાખીને અકસ્માત સર્જાય તેવી રીતે લીલું ઘાસ નાખનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં ક્યારે કાર્યવાહી થશે તે સૌથી મોટો પ્રશ્ન છે

મોરબીના જેલ રોડ ઉપર જેલ ચોકથી આગળના ભાગમાં લીલા ઘાસચારાનો વાડો રાખીને ત્યાંથી લીલા ઘાસચારાનું વેચાણ કરતા વેપારી જગદીશભાઈ બાબુભાઈ ડાંગર જાતે બોરીચા (ઉંમર ૪૨) રહે. લખધીરવાસ શેરી નં-૩ વાળા ની સામે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે અને આ વેપારી દ્વારા વાહનચાલકો અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે લીલુ ઘાસ નાખીને તેનો વેપાર કરવામાં આવતો હતો જેથી અકસ્માતનો બનાવ બને તેવી શક્યતા હોય તેની સામે હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જોકે મોરબી શહેરના સનાળા રોડ, નવલખી રોડ, સામાકાંઠે બેઠા પુલ ઉપર અને અન્ય જગ્યાએ આવી જ રીતે રોડ રસ્તાની આસપાસમાં લીલા ઘાસના ઢગલા કરીને ઘાસચારાનો વેપાર કરવામાં આવતો હોય તેવું જોવા જાણવા મળી રહ્યું છે અને ત્યાં રજડતા ઢોર ગમે ત્યારે નિર્દોષ વાહન ચાલક કે રાહદારી માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતા છે જેથી રોડ રસ્તાની આસપાસમાં લીલા ઘાસ નાખવાની કામગીરી કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News