મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિરે અન્નકુટ દર્શન યોજાશે


SHARE











ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિરે અન્નકુટ દર્શન યોજાશે

ટંકારા મધ્યે બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આગામી ૨૬ ઓક્ટોબરને બુધવારે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. જેની તૈયારી પણ પુર્ણ થઈ ગઈ છે. દિવાળીના તહેવારો આજથી  શરુ થઇ જાય છે. અહી રોજ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રિય સંગીત અને નોબત વગાડવાની પરમપરા આજે પણ  જીવંત છે.

ટંકારાના મધ્યમા બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૨૬ ને બુધવારે નુતનવર્ષ અન્નકૂટ દર્શન કરવામા આવશે.જેમાં અનેક શાકભાજી, ફળ, પ્રસાદ સહિતનો ભોગ ઠાકોરજીના સન્મુખ ધરાવાશે. આ તકે શ્રીલક્ષ્મીનારાયણ મંદિરના મહંત દ્વારા ટંકારા સહીત દેશભરમાં વસતા તમામ હરિભક્તોને ટંકારા પધારવા અને અન્નકુટ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને આજથી બંગલા દર્શન શરુ થઈ ગયા છે. ભગવાન આજે મંદીરના પરીસરમા બિરાજમાન થશે તથા મંદિરને રોશની અને વાઘાના શણગાર કરવામાં આવ્યો છે. અહીં વર્ષો જુની પરંપરા મુજબ દિવાળી તહેવારના ૫ દિવસ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રીય સંગીત સાથે નોબત વગાડવામાં આવે છે. દેશ દેશાંતરમાંથી ભક્તો પરીવાર સાથે પધારે છે. નવા વર્ષ અહીં માથું ટેકવી ધન્યતા અનુભવે છે.






Latest News