તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા અપાયા ત્રણ એવોર્ડ


SHARE











મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા અપાયા ત્રણ એવોર્ડ

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા કોરોનામાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે કથાકાર ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથા યોજવામાં આવી હતી અને તેની સાથોસાથ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે તેઓએ ગાય માતાને શુદ્ધ ઘીમાંથી બનાવેલ ૭૨ ટન સુખડી આપવાનો સંકલ્પ કર્યો હતો અને તેમણે ૧૦૮ ટન સુખડી મોરબી પાંજરાપોળ સહિતની ગૌશાળામાં આપી હતી જેથી કરીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને એવોર્ડ આપવામાં આવેલ છે આવી જ રીતે કથા તો ગુજરાત અને ભારતમાં ઘણી જગ્યાએ કરવામાં આવે છે જો કે, કાંતિભાઈના પરિવાર દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ૭૨૦ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જેથી કરીને આ પણ રેકોર્ડ બની ગયેલ છે જેથી કરીને કથાના પટાંગણમાં એક દિવસમા ૭૨૦ લોકોએ રકતદાન કરતાં તેના પણે કાંતિભાઈ અમૃતિયાને એવોર્ડ આપવામાં આવેલ છે અને ખાસ વાત એ છે કે તેમના પરિવારમાંથી કોરોનામાં કોઈનું અવસાન થયું ન હતું તો પણ મોરબી પંથકમાં જે લોકોના પરિવારજનોના કોરોનાના લીધે અવસાન થયા હોય તે દિવંગત આત્માઓના મોક્ષર્થે શ્રીમદ્દ ભાગવત કથા બેસાડી હતી અને ૭૫૬ દિવંગતોનું પૂજન કર્યું હતું જેથી કરીને તેનું ત્રીજો એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આમ કુલ મળીને કાંતિભાઈ અમૃતિયાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા ત્રણ એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવેલ છે






Latest News