મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વીમા કંપનીને વીમો ચૂકવવા આદેશ


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વીમા કંપનીને વીમો ચૂકવવા આદેશ

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા અમદાવાદના વતની કોમલબેન એસ. જસવાણી એ તેમના માતૃશ્રી અનીતાબેનનો મેડીકલ કલેઇમ ધ ઓરીએન્ટ ઇન્સ્યુરન્સ કા.લી. નહી ચુકવતા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરે છે. અને કેઇસ ચાલી જતાં ગ્રાહક અદાલતે૧૦૫૦૦૦ અને ખર્ચના ૩૦૦૦ તા. ૧૨/૧૧/૨૦૨૧ થી સાત ટકા ના વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

વીમા કંપની મેડીકલ કે અન્ય વીમો લેવામાં ઉતાવળ કરે પણ વીમો આપવામાં ઘણી વખત ઊંચા હાથ કરી નાખે છે આવા જ એક વીમા ગ્રાહક અમદાવાદના વતની કોમલબેન જસાણીએ પોતાની માતૃ અનીતાબેનને તાવ-શરદી અને કફ થતાં નબળાઇ આવેલ તેણીએ અમદાવાદની તૃપ્તી હોસ્પીટલમાં છ દિવસ દાખલ કરી સારવાર લીધેલ હતી તેને કોરોનો આવતા ખર્ચ ૧,૦૫,૦૦૦ ખર્ચ થયેલ અને અનીતાબેનનુ તા.૩૦/૪/૨૦૨૧ નાં રોજ અવસાન થયેલ છે પરંતુ વીમા કંપનીએ જાણાવેલ કે, રીપોર્ટ ગર્વમેન્ટ ઓથોરાઇઝ ડાયગ્નેસીક સેન્ટરે આપેલ નથી અને દર્દીને આર.ટી.પી.સી.આર. રિપોર્ટ નેગેટીવ આવેલ છે. માટે પોલીસીની શરતોમાં આવતાં ન હોઇ વીમો મળવા પાત્ર નથી તૃપ્તી હોસ્પીટલના ડોકટરનો અભિપ્રાય અને રિપોર્ટ મુજબ દર્દીમાં કોરોનાના લક્ષણો હતાં અદાલતે આ બાબત ધ્યાને લઇને કોમલબેન જસાણીને ૧૦૫૦૦૦ અને ૩૦૦૦ ખર્ચના તા.૧૨/૧૧/૨૦૨૧ થી સાત ટકાના વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે. અને આવી રીતે વીમા કંપની દ્વારા જો કોઈને તેના હક્કના રૂપિયા આપવામાં ન આવતા હોય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો (૯૮૨૫૭ ૯૦૪૧૨) સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News