તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વીમા કંપનીને વીમો ચૂકવવા આદેશ


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વીમા કંપનીને વીમો ચૂકવવા આદેશ

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા અમદાવાદના વતની કોમલબેન એસ. જસવાણી એ તેમના માતૃશ્રી અનીતાબેનનો મેડીકલ કલેઇમ ધ ઓરીએન્ટ ઇન્સ્યુરન્સ કા.લી. નહી ચુકવતા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરે છે. અને કેઇસ ચાલી જતાં ગ્રાહક અદાલતે૧૦૫૦૦૦ અને ખર્ચના ૩૦૦૦ તા. ૧૨/૧૧/૨૦૨૧ થી સાત ટકા ના વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

વીમા કંપની મેડીકલ કે અન્ય વીમો લેવામાં ઉતાવળ કરે પણ વીમો આપવામાં ઘણી વખત ઊંચા હાથ કરી નાખે છે આવા જ એક વીમા ગ્રાહક અમદાવાદના વતની કોમલબેન જસાણીએ પોતાની માતૃ અનીતાબેનને તાવ-શરદી અને કફ થતાં નબળાઇ આવેલ તેણીએ અમદાવાદની તૃપ્તી હોસ્પીટલમાં છ દિવસ દાખલ કરી સારવાર લીધેલ હતી તેને કોરોનો આવતા ખર્ચ ૧,૦૫,૦૦૦ ખર્ચ થયેલ અને અનીતાબેનનુ તા.૩૦/૪/૨૦૨૧ નાં રોજ અવસાન થયેલ છે પરંતુ વીમા કંપનીએ જાણાવેલ કે, રીપોર્ટ ગર્વમેન્ટ ઓથોરાઇઝ ડાયગ્નેસીક સેન્ટરે આપેલ નથી અને દર્દીને આર.ટી.પી.સી.આર. રિપોર્ટ નેગેટીવ આવેલ છે. માટે પોલીસીની શરતોમાં આવતાં ન હોઇ વીમો મળવા પાત્ર નથી તૃપ્તી હોસ્પીટલના ડોકટરનો અભિપ્રાય અને રિપોર્ટ મુજબ દર્દીમાં કોરોનાના લક્ષણો હતાં અદાલતે આ બાબત ધ્યાને લઇને કોમલબેન જસાણીને ૧૦૫૦૦૦ અને ૩૦૦૦ ખર્ચના તા.૧૨/૧૧/૨૦૨૧ થી સાત ટકાના વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે. અને આવી રીતે વીમા કંપની દ્વારા જો કોઈને તેના હક્કના રૂપિયા આપવામાં ન આવતા હોય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો (૯૮૨૫૭ ૯૦૪૧૨) સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News