મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ સોસાયટી પાસે સ્કૂટરને બાઇક ચાલકે ટક્કર મારતા આધેડનું મોત


SHARE











મોરબીમાં રાજ સોસાયટી પાસે સ્કૂટરને બાઇક ચાલકે ટક્કર મારતા આધેડનું મોત

મોરબીના નજર બાગ રોડ ઉપર આવેલ રાજ સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટર ચાલકને બાઇક ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને સ્કૂટર લઈને જઈ રહેલા આધેડને માથામાં હેમરેજ થઈ જવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડી વાવડી વાળી લાઈનમાં રહેતા મયંકભાઇ મનસુખભાઈ સવાડીયા જાતે પ્રજાપતિ કુંભાર (ઉંમર ૩૦)એ અજાણ્યા બાઇક ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૦/૯ ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં મોરબીના નજર બાગ રોડ ઉપર આવેલ રાજ સોસાયટી પાસેથી તેના પિતા સ્કૂટર નંબર જીજે ૩ ડીએલ ૨૨૮૬ લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેઓના સ્કૂટરને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદીના પિતાને માથામાં હેમરેજ થઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

મારામારી

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવવામાં સાહિલ ગંગારામ રાઠોડ (ઉંમર ૩૫)  અને મંજુબેન સાહિલ રાઠોડ (ઉંમર ૩૨) ને ઇજાઓ થઈ હોવાથી તે બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી કરીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી

મારામારી

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં બાવા અહેમદશા મસ્જિદ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટમાં રહેતા સાયરાબેન સલીમભાઈ ચાનિયા (ઉમર ૬૦) ને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરીને કયા કારણોસર વૃદ્ધાને માર મારવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી






Latest News