તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રંગોલી ખમણમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના રંગોલી ખમણમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી શહેરના સનાળ રોડ ઉપર મહેશ હોટલની સામેના ભાગમાં આવેલ રંગોલી ખમણ હાઉસમાં ખમણ બનાવવા માટે ગેસ ચાલુ કરવા જતાં અકસ્માતે આગ લાગી હતી ત્યારે આખા શરીરે યુવાન દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રંગોલી ખમણ હાઉસમાં કામગીરી દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એ.જે. કંપની પાછળ રાજબેક વાળી શેરીમાં રહેતો અજય નાયક (૩૦) નામનો યુવાન ગત તા. ૨/૧૦ ના રોજ દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોના કહેવા મુજબ રંગોલી ખમણ હાઉસમાં ખમણ બનાવવા માટેની કામગીરી દરમિયાન ગેસ ચાલુ કરવા જતા સમયે અકસ્માતે આગ લાગતા અજય નાયક આખા શરીરે દાજી ગયો હતો અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા નવલસીંગ ટુટીયા જાતે તહેજ (૪૦) દેવાયતભાઈ આહીરના ખેતરથી પાછા ચાલીને નાગડાવાસ ગામ તરફ આવતા હતા ત્યારે સાડા નવ વાગ્યાના અરસામાં ગામના પાદરમાં તેને ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટર તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News