મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગૌશાળાના સંચાલકને માર મારનારા બનાસકાંઠાના રબારી સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના રવાપર ગામે ગૌશાળાના સંચાલકને માર મારનારા બનાસકાંઠાના રબારી સામે ગુનો નોંધાયો

મોરબીના રવાપર ગામ પાસે આવેલ માધવ ગૌશાળામાંથી ત્યાં તબેલો બનાવનારા મૂળ બનાસકાંઠાના રબારીને દૂધ આપવામાં આવતું હતું જો કે, તે દૂધના હિસાબમાં ગોટાળા કરતો હતો જેથી કરીને તેને દૂધ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેનો રોષ રાખીને તે શખ્સો માધવ ગૌશાળાનું  સંચાલન સાંભળતા બે વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો અને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની  જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે આવેલ રાધે એપાર્ટમેન્ટમાં શંકરના મંદિર સામે રહેતા નરશીભાઇ વેલજીભાઇ ચાડમીયા જાતે પટેલ (૬૧)એ હાલમાં પુંજાભાઇ રબારી રહે. હાલ રવાપર માધવ ગૌશાળા પાછળ પાવર હાઉસ પાસે મોરબી મુળ બનાસકાંઠા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રવાપર ધુનડા રોડ માધવ ગૌશાળા આવેલ છે જેનું સંચાલન રવાપર ગામ સમસ્ત દ્વારા કરવામાં આવે છે અને માધવ ગૌશાળાની કમીટીના ફરિયાદી સભ્ય છે અને આ ગૌશાળામાંથી છેલ્લા દોઢેક વર્ષથી આરોપીને ગૌશાળાની ગાયોનુ દુધ ભરી આપતા હતા જો કે તે દુધના હિસાબમા ગોટાળા કરતો હતો જેથી કરીને તેને દૂધ આપવાનું ગામના લોકો તેમજ માધવ ગૌશાળાની કમીટીએ નક્કી કર્યું હતું જેથી કરીને તેનો ખાર રાખીને નરશીભાઇ વેલજીભાઇ ચાડમીયા તથા સાહેદ વસંતભાઇ માધવ ગૌશાળાએ બેઠેલ હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને ફરિયાદીને ધક્કો મારી પાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News