મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

જામનગર આવેલા વડાપ્રધાન મોદીએ મોરબીના ખબર અંતર પૂછ્યા


SHARE











જામનગર આવેલા વડાપ્રધાન મોદીએ મોરબીના ખબર અંતર પૂછ્યા

જામનગર ખાતેના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને મોરબીના હાલચાલ પૂછ્યા હતા. સાથે તેઓના ખબર અંતર પણ પૂછી લાગણીસભર વાતચીત કરી હતી.

જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસકામોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે રોડ શો યોજીને જાહેર સભા સંબોધી હતી. આ કાર્યક્રમ વેળાએ મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ બ્રિજેશભાઈ મેરજાને મોરબી પંથકના હાલ ચાલ પૂછ્યા હતા. તેઓએ બ્રિજેશભાઈને પૂછ્યું હતું કે મોરબી જોશમાં છેને ? મજામાં છે ને ? સામે બ્રિજેશભાઈએ આપના આશીર્વાદ છે તેવો મિતભાષી પ્રત્યુતર આપ્યો હતો. બીજી તરફ આજના જામકંડોરણા ખાતેના કાર્યક્રમ પણ વડાપ્રધાને મોરબીનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સાંસદ મોહનભાઇ કુંડારિયા તરફ નિર્દેશ કરીને મોરબીએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભર્યાનું કહ્યું હતું.






Latest News