જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

જામનગર આવેલા વડાપ્રધાન મોદીએ મોરબીના ખબર અંતર પૂછ્યા


SHARE









જામનગર આવેલા વડાપ્રધાન મોદીએ મોરબીના ખબર અંતર પૂછ્યા

જામનગર ખાતેના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને મોરબીના હાલચાલ પૂછ્યા હતા. સાથે તેઓના ખબર અંતર પણ પૂછી લાગણીસભર વાતચીત કરી હતી.

જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસકામોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે રોડ શો યોજીને જાહેર સભા સંબોધી હતી. આ કાર્યક્રમ વેળાએ મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ બ્રિજેશભાઈ મેરજાને મોરબી પંથકના હાલ ચાલ પૂછ્યા હતા. તેઓએ બ્રિજેશભાઈને પૂછ્યું હતું કે મોરબી જોશમાં છેને ? મજામાં છે ને ? સામે બ્રિજેશભાઈએ આપના આશીર્વાદ છે તેવો મિતભાષી પ્રત્યુતર આપ્યો હતો. બીજી તરફ આજના જામકંડોરણા ખાતેના કાર્યક્રમ પણ વડાપ્રધાને મોરબીનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સાંસદ મોહનભાઇ કુંડારિયા તરફ નિર્દેશ કરીને મોરબીએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભર્યાનું કહ્યું હતું.






Latest News