મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ જુગારી પકડાયા


SHARE









મોરબીના લીલાપર ગામે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ જુગારી પકડાયા

મોરબી તાલુકાના લીલાપર ગામે તાલુકા પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં માતાજીના મંદિર પાસે જુગાર રમી રહેલા પાંચ ઇસમો મળી આવતા પોલીસે ૧૧૮૦૦ ની રોકડ રકમ કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી હતી

મોરબીના લીલાપર ગામે શીતળા માતાના મંદિર પાસે અમુક ઈસમો જાહેરમાં તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે તેવી માહિતી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા કિરણ ઉર્ફે બેબો નાગજી દેગામાં જાતે કોળી (૨૬) રહે. લીલાપર વિલ્સન પેપર મીલ સામે, સુનિલ મગન દેગામા જાતે કોળી (૨૯) રહે. લીલાપર, સોનલબેન રાજેશ આંતરેશા જાતે કોળી (૩૦) રહે. લીલપર, રીટાબેન સંજયભાઈ પરેચા જાતે કોળી (૩૦) રહે. લીલાપર અને કિશન વેલાભાઇ મગવાણીયા (૨૬) રહે. લીલાપર વાળાઓ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા અને પોલીસે રોકડા રૂપિયા ૧૧૮૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામે રહેતા પદ્માબેન છગનભાઈ મકવાણા અને હંસાબેન છગનભાઈ મકવાણાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.એ. જાડેજા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે પદ્માબેન અને હંસાબેન મોરબી તરફથી પોતાના ઘેર પીપળી જતા હતા ત્યારે પીપળી ગામ પાસેના પાવર હાઉસ પાસે તેમના બાઈક આડે અચાનક કૂતરું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવવામાં બંનેને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીમાં કેનાલ રોડ ઉપર ભોજાણીની વાડી રામજી મંદિર પાસે  રહેતો પ્રભુભાઈ મનસુખભાઈ ખાણઘર (૨૨) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસેથી પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવવામાં તેને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News