મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામા એકને એક ટેબલે ચીપકી ગયેલા અધિકારી-કર્મચારીઓની બદલી કરવાની માંગ


SHARE











મોરબી જિલ્લામા એકને એક ટેબલે ચીપકી ગયેલા અધિકારી-કર્મચારીઓની બદલી કરવાની માંગ

મોરબી જિલ્લો બની ગયેલ આશરે બાર વર્ષ જેટલો સમય થયેલ છે અને ઘણા કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યા ઉપર કે પછી એક જ શાખામાં વર્ષોથી નોકરી કરી રહ્યા છે જેથી કરીને તે બેફામ બની ગયા છે માટે આ કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે બદલાવવામાં આવે તે જરૂરી છે

મોરબી જિલ્લાની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઘણા સમયથી થયેલ નથી અને સરકારનો ત્રણ વર્ષનો નિયમ હોવા છતાં કર્મચારીની બદલી કેમ કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે અને વર્ષોથી ઘણા કર્મચારીઓ એક જ શાખામાં કામ કરી રહ્યા યોવાથી તે પોતાની મનમાંની ચલાવી રહ્યા છે જેથી કરીને પી.પી. જોશી દ્વારા આવા અધિકારી અને કર્મચારીઓને બદલાવવા માટેની માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જીલ્લામાં બિનખેતી, મેજી, અપીલ, ઇ-ધરા વિભાગ અને પ્રાંત તેમજ મામલતદાર કચેરીમાં ઘણા અધિકારી પોતાના મનમાનીતા કર્મચારીને રાખવામાં આવેલ છે જેની બદલી પણ કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે અને લોકોની સુખાકારી માટે વહેલમાં વહેલી તકે વર્ષોથી એક જ જગ્યાએ ગોઠવાઈ ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવે તે અનિવર્ય છે 






Latest News