મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

હળવદમાં હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા સગર્ભા મહિલાનું મોત


SHARE











હળવદમાં હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા સગર્ભા મહિલાનું મોત

હળવદની અનમોલ સોસાયટી પાસે રહેતી સગર્ભા મહિલાને હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત મૂળ પંચમહાલ જિલ્લાના ગોપીપુરાના રહેવાસી અને હાલમાં હળવદની અનમોલ સોસાયટી પાસે છાપરામાં રહેતા રસ્મિકાબેન વિક્રમભાઈ રાઠવા જાતે આદિવાસી (ઉંમર ૨૩) ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જે બનાવવાની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રશ્મિકાબેન રાઠવા સગર્ભા હતા અને તે છેલ્લા ચાર પાંચ દિવસથી બીમારી હતા દરમ્યાન હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જવાના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News