મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ની જખરીયા વાંઢમાં સંતાનને મૂકીને માવતરે જતી પરિણીતાને પતિ મૂકવા ન જતાં કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE







માળીયા (મી)ની જખરીયા વાંઢમાં સંતાનને મૂકીને માવતરે જતી પરિણીતાને પતિ મૂકવા ન જતાં કર્યો આપઘાતનો પ્રયાસ

માળિયા મીંયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતી પરિણીતાના આઠ મહિનાના બાળકને ઘરે છોડીને માવતરે જવું હતું જેથી કરીને તેનો પતિ તેને મૂકવામાં માટે ગયા ન હતા અને પરિણીતાને લાગી આવતા તેને ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી હાલમાં રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી છે

માળિયા મીંયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતી સબાનાબેન સિરાજભાઈ અનવરભાઈ જેડા નામની ૨૭ વર્ષીય મહિલા પંદર દિવસ પહેલા તેના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તેણીનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું જાણવા મળેલ છે. આ મહિલાને વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને જવામાં આવી છે ત્યારે પરિણીતાના પતિ સિરાજભાઈ અનવરભાઈ જેડા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે તેની પત્નીને માવતરે જવું હતું અને તેના આઠ મહિનાના બાળકને તે સાથે લઈને જતી ન હતી જેથી કરીને તેઓ તેને માવતરે મૂકવા માટે ગયા ન હતા માટે લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી હાલમાં માળીયા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

છરી વડે હુમલો

વાંકાનેરના માટેલ ગામે સરકારી શાળા પાસે વિક્રમ દિનેશભાઇ વીંજવાડીયા (૧૮) નામના યુવાન સાથે પાંચાભાઈ અને વિક્રમભાઈએ ઝઘડો કર્યો હતો અને તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં રાજકોટ મારફતે આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

હાથ મશીનમાં આવી જતા સારવારમાં

મોરબીના લીલાપર ગામે આવેલ સોહમ પેપર મીલમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા સુરવીર ભરતસિંહ નામના ૪૫ વર્ષના યુવાનનો હાથ કામ દરમિયાન મશીનમાં આવી જતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના નાની વાવડી ગામે રહેતા ભરતભાઈ જલાભાઇ ગઢવી નામના ૩૦ વર્ષના યુવાનને મોરબી માધાપરા શેરી નંબર-૬ ખાતે મારામારીના બનાવમાં ઇજાઓ તથા સીવીલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

સાપકડા મારામારી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પિતા પુત્રને ઇજા થતા સારવારમાં મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે સાપકડા ગામે થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલા દિલીપભાઈ વાઘજીભાઈ સાણંદીયા જાતે સરાણીયા નામના ૫૦ વર્ષીય આધેડ તથા તેમના પુત્ર જયંતિ દિલીપભાઈ સાણંદિયા (૩૫) ને ઇજાઓ થવાથી મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News