મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર નવરાત્રીએ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ 


SHARE











મોરબીમાં પાટીદાર નવરાત્રીનફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ 

મોરબીમાં રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર નવરાત્રીનું આયોજન અજયા લોરીયા અને તેની ટીમે કર્યું હતુ જેના ખર્ચાને બાદ કરતાં થયેલ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ કરવામાં આવ્યા છે

મોરબીમાં અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહીદ પરિવારના લાભાર્થે યોજાયેલ પાટીદાર નવરાત્રી મહોત્સવમાંમાં આઠમના દિવસે હિસાબ કરવામાં આવ્યો હતો અને તેમાંથી વધેલ કુલ ૫૨.૩૦ લાખનો નફો થયો છે. અને તેની માહિતી આપતા અજય લોરીયાએ જણાવ્યુ છે કે, નફાની રકમ જુદા જુદા સેવા કાર્યોમાં વાપરવાનું અગાઉથી જ નક્કી કરાયું હતું જેથી ૫૨.૩૦ લાખમાંથી ૩૦ શહીદ પરિવારોને એક એક લાખ મળી ૩૦ લાખ, મનો દિવ્યાંગ માટે ચાલતી શાળાને દાતાના સહયોગથી ૭.૫૫ લાખની બસ અર્પણ કરાય છે અને નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુને નવેસરથી બનાવવા માટે ૧૫ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીમાં જ હિસાબ કરી નફો સેવા કાર્યો માટે ફાળવી દેવામાં આવ્યો છે 






Latest News