મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફીમાં પસંદગીમોરબીના માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફીમાં પસંદગી


SHARE











મોરબીના માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફીમાં પસંદગી

મોરબી ડીસ્ટ્રીકટ એસોના માનવ અઘારાની અન્ડર ૧૯ વિનોદ માંકડ ટ્રોફી રમવા માટે પસંદગી કરવામાં આવી છે જેથી તે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની સ્ટેટ ટીમ તરફથી રમવા માટે જવાનો છે અત્રે ઉલેખનીય છે કે, માનવ અઘારા મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોનો અન્ડર ૧૯ ટીમનો વિકેટ કીપર અને બેટ્સમેન છે હાલમાં તે સૌરાષ્ટ્રની ટીમ સાથે જોઈન થયો છે અને સૌરાષ્ટ્રની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે

માનવ અઘારા અંગે એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના કોચ અને મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાનીએ જણાવ્યું હતું કે આ વર્ષે માનવ જી-૧ ટુર્નામેન્ટમાં પણ સૌરાષ્ટ્ર તરફથી રમ્યો હતો અને હવે વિનોદ માંકડ ટ્રોફી જેનું બીસીસીઆઈ આયોજન કરે છે તેમાં રમવા માટે જવાનો છે માનવ એક નેચરલ બેટ્સમેન અને ખુબ સારો વિકેટ કીપર છે છેલ્લા ઘણા સમયથી માનવ ૮ થી ૧૦ કલાક પ્રેક્ટીસ કરી રહ્યો છે ભારતની ક્રિકેટ ટીમમાં રમવા માંગતા ખેલાડીને ખુબ જ પ્રેક્ટીસ અને સમર્પણની ભાવના હોવી જોઈએ સાથે જ પરિવારનો સહયોગ પણ જરૂરી હોય છે કોઈ પણ તહેવાર કે મોજ મસ્તીને ૧૦ વર્ષ માટે ભૂલી જવી પડે છે તો જ ક્રિકેટ ક્ષેત્રમાં કરિયર બનાવી સકાય છે  કોચ નિશાંત જાની જણાવે છે કે ક્રિકેટમાં ખેલાડીઓ પુરતી મહેનત નથી કરતા અને બહાના બનાવતા રહે છે જેને સાઈડ પર મુકીને તનતોડ મહેનત કરીને માત્ર ક્રિકેટ પર ધ્યાન આપીએ તો ૧૦ વર્ષે પરિણામ મેળવી સકાય મોરબી ડીસ્ટ્રીકટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ ખેલાડીને શુભકામનાઓ પાઠવી છે






Latest News