વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર પીપળી-જેતપર રોડ ઉપર ફોરલેનના બણગા વચ્ચે ફૂટ ફૂટના ખાડા: કોંગ્રેસનો અણીદાર આક્ષેપ


SHARE











મોરબીના ભંગાર પીપળી-જેતપર રોડ ઉપર ફોરલેનના બણગા વચ્ચે ફૂટ ફૂટના ખાડા: કોંગ્રેસનો અણીદાર આક્ષેપ

મોરબીના પીપળી ગામથી લઈને જેતપર અને અણીયારીથી ઘાટીલા સુધીનો રસ્તો અતિબિસ્માર છે જેથી કરીને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ ભંગાર રોડ ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસનાં આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે ફોરલેન રોડ બનાવવાના બણગાં ફૂકવામાં આવે છે જો કે, નારી વાસ્તવિક્તાએ છે કે, આ રોડ ઉપર આજની તારીખે ફૂટ ફૂટના ઠેરઠેર ખાડા છે જેથી તે ખાડા બેરી મૂંગી સરકાર બુરે તેના માટે કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી છે

ગાંધી જયંતીના દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલની આગેવાનીમાં ગુજરત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કાગથરા, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી સહિતના આગેવાનો પીપળી ગામથી લઈને જેતપર અને અણીયારીથી ઘાટીલા સુધી યોજાયેલ બાઈક રેલીમાં જોડાયા હતા અને આ ભંગાર રસ્તા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ યોગ્ય રીતે તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લલિતભાઈ કાગથરાએ કહ્યું હતું કે, મોરબીના લોકોને જેતપર રોડ ફોરલેન બનાવવાનું છેલ્લા ઘણા સમયથી કહેવામા આવી રહ્યું છે જો કે, હાલમાં આ રોડ વાહન લઈને ચાલવા યોગ્ય નથી જેથી બહેરી અને મૂંગી સરકાર સુધી લોકોનો અવાજ પહોચડવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં આ ભંગાર રોડ ઉપર કોંગ્રેસનાં આગેવાનો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી ત્યારે લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોને મળ્યો હતો






Latest News