રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

હિન્દુઓની લાગણી દુભાવે તેવા ગીત રજૂ કરનાર કલાકારને હવે પાટીદાર નવરાત્રીના મંચ ઉપર ક્યારેય નહીં બોલાવું: અજય લોરીયા


SHARE











મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના મંચ ઉપરથી "જુમ્મે કી રાત હૈ અલ્લાહ બચાયે મુજે તેરે વાસ્તે" ગીતની રજૂઆત હિમેશ રેશમિયા દ્વારા કરવામાં આવી હતી જેને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિતના લોકોને એવી ખાતરી આપવામાં આવી છે કે હિન્દુઓની લાગણી દુભાય તેવા ગીત રજૂ કરનાર કલાકારને તેઓ ક્યારે પણ પાટીદાર નવરાત્રીના મંચ ઉપર બોલાવશે નહીં

હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને છઠ્ઠા નોરતે મોરબીમાં રવાપર ગામમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જાણીતા સિંગર હિમેશ રેશમિયાને બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા જુદા જુદા હિન્દી ગીત લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે "જુમ્મે કી રાત હૈ અલ્લા બચાએ મુજે તેરે વાસ્તે" હિન્દી ફિલ્મનું ગીત છે તે રજૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણકે પાટીદાર નવરાત્રી મહોત્સવ એટલે કે નવરાત્રિના મંચ ઉપરથી આ ગીત રજૂ કરવામાં આવ્યુ છે જેથી કરીને હિન્દુ સમાજની લાગણી દુબઈ હોય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, મહામંત્રી કમલભાઇ દવે સહિતના આગેવાનો પાટીદાર નવરાત્રી મહોત્સવના પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા અને તેમણે આ ગીત ગાનારા કલાકારનો અને ગીતનો વિરોધ કર્યો હતો ત્યારબાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના મુખ્ય આયોજક અજયભાઈ લોરીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ પાર્ટી પ્લોટમાં હાજર રહેલા તમામ ખેલૈયાઓ સહિતના લોકોને એવી ખાતરી આપવામાં આવી હતી કે હિન્દુ સમાજની લાગણી દુબઈ તેવા ગીત રજૂ કરનારા કલાકારોને હવે ક્યારેય પણ તેઓ પાટીદાર નવરાત્રી મહોત્સવના મંચ ઉપર લઈને આવશે નહીં 






Latest News