મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત


SHARE











મોરબીના રણછોડનગરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે સીએમને રજૂઆત

મોરબી નગરપાલિકામાં આવતા રણછોડનગર વિસ્તારમાં આંતરિક  રસ્તાઓ, ભૂગર્ભગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી રહી નથી જેથી કરીને મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ આ મુદે સીએમને રજૂઆત કરેલ છે

 મોરબી નગરપાલિકામાં આવતા અને રણછોડનગર નામે જાણીતા વિસ્તારમાં આજે ૩૦ વર્ષ પછી પણ લોકોને ટેક્ષ ભરતા હોવા છતાં પણ પાલિકા દ્વારા સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહી નથી જેમાં ખાસ કરીને પીવાનું પાણી ખુબ જ અનિયમિત આવે છે, સફાઈની તો કોઈ વાત જ નથી, અને આંતરીક રોડ જ નથી બનાવ્યા, સ્ટ્રીટ લાઈટો પણ ચાલતી નથી માટે લોકોને હેરાન થવું પડે છે વધુમાં તેઓએ એવો આક્ષેપ કરેલ છે કે, સ્થાનિક  કાઉન્સીલરોને તો પોતાનું તરભાણું ભરાય તેમા જ રસ છે. ચાલુ ધારાસભ્ય અને રાજ્ય ના મંત્રીને પણ આ વિસ્તાર દેખાતો નથી તો માજી ધારાસભ્ય પણ આ બાબતે કોઈ વાત કરતા નથી ! માટે આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કેમ કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે અને આ વિસ્તારના લોકોને સારા રસ્તા, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, સફાઈ, પાણી સહિતની સુવિધા આપવા માટે જરૂરી આદેશ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સુવિધાઓ નહિ આપવામાં આવે તો લોકોને સાથે રાખીને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News