મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડનું ૧૪૧ કરોડનું ટેન્ડર મંજુર કરાવતાં મંત્રી બ્રિજેશ મેરજ


SHARE











મોરબીના જેતપર રોડનું ૧૪૧ કરોડનું ટેન્ડર મંજુર કરાવતાં મંત્રી બ્રિજેશ મેરજ

મોરબીમાળીયા (મી) ના ધારાસભ્ય અને શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો)ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ બજેટમાં મોરબી પીપળીયા જેતપુર  મચ્છુ ચારમાર્ગીય રસ્તો મંજુર કરાવ્યો હતો  ત્યારબાદ જુદા જુદા તબકકે આ રસ્તાનું પ્રાથમિક સર્વેક્ષણ જમીન સંપાદરોડની મજબુતીકરણની ખેવનાસૈદ્ધાંતિક મંજુરી તથા વહીવટી મંજુરી સુધી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેરઅધિક્ષક ઇજનેર તથા મુખ્ય ઇજનેર તેમજ માર્ગ અને મકાન વિભાગના સચિવ સુધી સતત ફોલોઅપ અને વખતોવખતના ઘનિષ્ઠ પ્રયાસો થકી આ રોડને ચારમાર્ગીય કરવાના કામને ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ૧૪૧ કરોડના ખર્ચે ટેન્ડર મંજુર કર્યુ છે

આમ મોરબી પંથકના ખૂબ જ મહત્વના એવા સીરામીક ઉદ્યોગને સ્પર્શતા આ રસ્તાની જરૂરીયાતની માંગણી સંતોષવામાં શ્રી બ્રિજેશ મેરજાને સફળતા મળી છે . હવે જ્યારે નાણાં વિભાગે ૧૪૧ કરોડના ટેન્ડરને બહાલી આપી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક એજન્સી નકકી કરી વર્કઓર્ડર આપીડિપોઝીટ ભરાવીને આ કામ તાબડતોડ હાથ ધરશે તેમ શ્રી બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવેલ. આમલાંબા સમયથી આ પંથકના લોકોની આતુરતાનો અંત આવ્યો છે જે માટે શ્રી બ્રિજેશ મેરજાએ કરેલ સખત અને સતત મહેનતને સીરામીક ઉદ્યોગના અગ્રણીઓએ વધાવીને ખાસ અભિનંદન આપ્યા છે તેમજ આ રોડ ઉપર આવતાં ગામડાઓના આગેવાનોએ આ રસ્તો ચારમાર્ગીય કરવાના પ્રયાસોને મળેલ સફળતા બદલ શ્રી બ્રિજેશ મેરજાનો આભાર માન્યો છે અને આવનારા દિવસોમાં યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલુ રાખીને લોકોને વહેલામાં વહેલી તકે ચારમાર્ગીય રસ્તાની સુવિધા મળી રહે તે માટે બ્રિજેશ મેરજા સતત જાગૃત રહેશે તેવો પ્રજાને કોલ પણ આપેલ છે

જેતપર રોડનું સમારકામ શરૂ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી-જેતપર રોડ પર આજથી ખાડા પૂરવાનું અને ડામર નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર હિતેશ અદ્રોજાએ જણાવ્યું હતું કેઆ રોડ પર આજથી ડામર પેચ મારવાનું અને જ્યાં વધુ ખાડા હોય ત્યાં ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 






Latest News