મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી : માળીયા મીંયાણાના વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે થયેલ ડખ્ખામાં માતા-પુત્રની લોથ ઢળી


SHARE











મોરબી : માળીયા મીંયાણાના વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે થયેલ ડખ્ખામાં માતા-પુત્રની લોથ ઢળી

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા ખાડે ગયેલી હોય તેવા બનાવો વારંવાર બને છે જેમાં વધુ એક ડબલ મર્ડરના બનાવનો ઉમેરો થયો છે.જેમાં મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કોઇબા વાંઢ વિસ્તારની અંદર ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે ભત્રીજા દ્વારા તિક્ષ્ણ હથીયાર વડે કરવામાં આવેલા હુમલામાં માતા અને પુત્ર એમ બે ની લોથ ઢળતા મામલો ડબલ મર્ડરમાં પલટાયો હતો હાલ બનાવને પગલે પોલીસ કાફલો બનાવ સ્થળે અને મોરબી સિવિલે પહોંચ્યો હતો અને બનાવની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

ઉપરોક્ત બનાવની મોરબી સિવિલ હોસ્પીટલે એકત્રીત થયેલ લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા મીંયાણા તાલુકાના કોઈબા વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૌટુંબિક ભત્રીજા શાહરૂખ મોવર નામના હુમલાખોર દ્રારા તેની કૌટુંબીક કાકી ઝરીનાબેન યુસુબભાઇ મોવર (ઉમર ૫૦) અને કાકાના દીકરા ભાઈ હબીબ યુસુબભાઇ મોવર (ઉમર ૨૦) એમ માતા-પુત્ર ઉપર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કર્યો હતો.જેથી કરીને ઝરીનાબેન મોવર અને હબીબ મોવર બંનેના મોત નિપજયા હતા અને બેવડી હત્યાના બનાવમાં માતા-પુત્રના મૃતદેહને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી યુવાન હબીબભાઇના મૃતદેહને પીએમ માટે પુન: માળિયા લઈ ગયા છે જોકે મહિલા ઝરીનાબેનનો મૃતદેહ હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે.ડબલ હત્યાના આ બનાવની માળિયા મીંયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો હાલમાં ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ બેવડી હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. morbitoday.com






Latest News