તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધીના રસ્તા ઉપરના દબાણ દૂર કરવા પાલિકાએ કર્યું ડિમોલિશન


SHARE











મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધીના રસ્તા ઉપરના દબાણ દૂર કરવા પાલિકાએ કર્યું ડિમોલિશન

મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી તેના માટે પાલિકાના આપદાધિકારીઓ અને રાજ્ય મંત્રીને આ મુદે રજૂઆતો કરવામાં આવી હતી ત્યાર બાદ પાલિકા તંત્ર દ્વારા અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધી દબાણ દૂર કરવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને પાકા દબાણને પણ તોડી પાડવામાં આવેલ છે

મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણી ભરાઈ જતું હોવાથી લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ મુદે પાલિકાના પદાધિકારીઓ અને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયાના મંત્રી સુધી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી જેથી પાલિકા તંત્ર દ્વારા અવની ચોકડીથી ચોકિયા હનુમાન મંદિર સુધી રસ્તાને પહોળો કરવા માટે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સૂચના મુજબ ગેરકાયદે કરવામાં આવેલા કાચા અને પાકા બાંધકામોને તોડી પાડયા હતા. અને રસ્તો પહોળો કરવામાં આવેલ છે આ કામ પાલિકાના હિતેશભાઈ રવેશિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને અહી ભવિષ્યમાં વરસાદી પાણી ન ભરાઈ તેના માટે પણ આગામી દિવસોમાં કામ કરવામાં આવશે






Latest News