મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવે ઓફિસ પાસે કચરો સળગાવતા દાઝી ગયેલા રેલવે કર્મચારીનું સારવારમાં મોત


SHARE







મોરબીમાં રેલવે ઓફિસ પાસે કચરો સળગાવતા દાઝી ગયેલા રેલવે કર્મચારીનું સારવારમાં મોત

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસ પાસે રેલ્વે કર્મચારી દ્વારા કચરો સળગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે કેરોસીન ભરેલ શીશો આગમાં પડી ગયો હતો જેથી ભડકો થયો હતો અને તે આગમાં દાઝી જવાથી રેલ્વે કર્મચારીને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમ્યાન રેલવે કર્મચારીનું  સારવારમાં મોત નીપજયું છે તેવું રેલવેના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રેલ્વે સ્ટેશન પાસે નવલખી રોડ ઉપર આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસ પાસે રેલવેમાં ફરજ પર હાજર રહેલા બીપીન ભાનુભાઇ (૩૫) રહે. ન્યુ રેલવે કોલોની વાળા ઓફિસ પાસે આગ લગતા ગંભીર રીતે દાજી ગયેલ હતા જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હોવાની હાલમાં રેલવેના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અત્રે ઉલેખનીય છે કે, રેલવેની ઓફિસ પાસે કચરો સળગાવવાનું કામ કરતાં સમયે બીપીનભાઈ કેરોસીન ભરેલ શીશો ચાલુ આગમાં પડતાં દાઝી ગયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ છે હવે રેલવે અને પોલીસે વિભાગે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે






Latest News