મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવે ઓફિસ પાસે કચરો સળગાવતા દાઝી ગયેલા રેલવે કર્મચારીનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં રેલવે ઓફિસ પાસે કચરો સળગાવતા દાઝી ગયેલા રેલવે કર્મચારીનું સારવારમાં મોત

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસ પાસે રેલ્વે કર્મચારી દ્વારા કચરો સળગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે કેરોસીન ભરેલ શીશો આગમાં પડી ગયો હતો જેથી ભડકો થયો હતો અને તે આગમાં દાઝી જવાથી રેલ્વે કર્મચારીને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમ્યાન રેલવે કર્મચારીનું  સારવારમાં મોત નીપજયું છે તેવું રેલવેના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રેલ્વે સ્ટેશન પાસે નવલખી રોડ ઉપર આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસ પાસે રેલવેમાં ફરજ પર હાજર રહેલા બીપીન ભાનુભાઇ (૩૫) રહે. ન્યુ રેલવે કોલોની વાળા ઓફિસ પાસે આગ લગતા ગંભીર રીતે દાજી ગયેલ હતા જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હોવાની હાલમાં રેલવેના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અત્રે ઉલેખનીય છે કે, રેલવેની ઓફિસ પાસે કચરો સળગાવવાનું કામ કરતાં સમયે બીપીનભાઈ કેરોસીન ભરેલ શીશો ચાલુ આગમાં પડતાં દાઝી ગયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ છે હવે રેલવે અને પોલીસે વિભાગે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે






Latest News