તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના કોયલી પાસે ટ્રેક્ટર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE











મોરબીના કોયલી પાસે ટ્રેક્ટર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના કોયલી ગામ પાસે ડબલ સવારી બાઈકને ટ્રેક્ટર ચાલાકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મજૂર યુવાનને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે અને અકસ્માતના આ બનાવના લીધે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવેલ છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના ભાંભોર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ જોરસિંગ મૈયડ (ઉંમર ૨૨) બાઈક લઈને કોયલી ગામ પાસેથી જતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દિનેશભાઈ મૈયડને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નિપજ્યું છે અને તેના કૌટુંબિક ભાઈ પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાન તેના માસીના દીકરાને બાઇકમાં સાથે બેસાડીને કોયલી ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દિનેશભાઈને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવના કારણે બે બાળકોએ હાલમાં પિતાની છત્રછાંયા ગુમાવેલ છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના માળિયા મિંયાણા ખાતે આવેલ રેલ્વે સ્ટેશન પાસે રહેતા કલ્પેશ માથુરભાઈ નીનામા જાતે આદિવાસી નામના ૨૭ વર્ષના યુવાનને તેના ઘર નજીક સાપ કરડી જતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ સિમાન્ટો સીરામીક નજીક થયેલ મારામારીના બનાવમાં ભારૂભાઈ અક્રમભાઈ ખરાડી નામના ૨૮ વર્ષના યુવાનને ઇજા થતા સારવારમાં લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપરામાં શેરી નંબર-૨૬ માં રહેતા રવિ ધનજીભાઈ હડિયલ નામનો ૩૯ વર્ષનો યુવાન મોરબીના વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ પાસેની ઓનેસ્ટ હોટલ નજીકથી જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો તાલુકા પોલીસ પથકના મહિલા એએસઆઇ જીજ્ઞાસાબેન કણસાગરાએ નોંધ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરી છે






Latest News