મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના જૂના ધનાળા ગામે વાડીએ જાટકા તારને અડી જતા યુવાનનું મોત


SHARE











હળવદના જૂના ધનાળા ગામે વાડીએ જાટકા તારને અડી જતા યુવાનનું મોત

હળવદ તાલુકાના જૂના ધનાળા ગામે વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો યુવાન વાડીએ આંટો મારવા ગયો હતો ત્યારે બાજુની વાડીના શેઢે મુકેલ જાટકા તારને અડી જતા તેને શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું. બાદમાં યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના જૂના ધનાળા ગામની સીમમાં જયેશભાઈ વાસુદેવભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ ઉર્ફે ઇકરીયા ભંગડાભાઈ ડાવર (ઉંમર ૩૩)  તા.૧૯-૯ ના ૧૦ વાગ્યા પહેલા વાડીએ આંટો મારવા માટે ગયો હતો ત્યારે અકસ્માતે બાજુની વાડીના શેઢે મૂકવામાં આવેલ ઝાટકા તારના વાયરને અડી જવાના કારણે તેને શોટ લાગ્યો હતો અને વિક્રમભાઈનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના થાનગઢના રહેવાસી લાખુભા મનુભા ઝાલા (૬૩) અને સરોજબા લાખુભા (૫૮) બાઈક લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામે એસઆર પંપ પાસેથી જતા હતા ત્યાં રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જવાથી અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં પ્રાથમિક સારવાર આપીને બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે રહેતા અશોક કેશુભાઈ સોમાણી (૨૪) અને પ્રભુ બાબુભાઇ સુરેલા (૪૪) નામના બે યુવાનો નવલખી રોડ ઉપરથી બાઈકમાં જતા હતા ત્યારે ત્રિમંદિર પાસે વાહન અકસ્માત સર્જાતા બંનેને ઇજાઓ થતા તેમને પણ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

આધેડ સારવારમાં

ટંકારાના ઘુનડા (સજનપર) ગામના રહેવાસી ભવાનભાઈ બાબુભાઈ જાદવ નામના ૫૭ વર્ષના આધેડ બાઈક લઈને મોરબીના વીસીપરામાં ગર્લ્સ હાઇસ્કુલ નજીકથી જતા હતા ત્યાં તેઓનું બાઈક ખૂંટીયા સાથે અથડાતા ઇજાઓ થવાથી ભવાનભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા સાયરાબેન હનીફભાઈ સંધિ નામના ૪૪ વર્ષીય મહિલાએ ફિનાઈલ પી લેતા તેમને પણ સિવિલે સારવાર માટે લવાયા હતા






Latest News