મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીનો ત્રિકોણબાગ છે કે કોરોના તથા જીવલેણ રોગ ફેલાવાનું કારખાનું..?


SHARE











મોરબીનો ત્રિકોણબાગ છે કે કોરોના તથા જીવલેણ રોગ ફેલાવાનું કારખાનું..?

સરકાર દ્વારા લાખો-કરોડો રૂપિયા સફાઈના નામે પાલિકાઓને આપવામાં આવે છે તે મુજબ મોરબી પાલિકામાં પણ પૂરતું ફંડ સફાઈ માટે આવતું હોય છે પરંતુ તે ફંડનો શું ઉપયોગ થાય છે તે શહેરીજનો સમજી શકતા નથી.કારણકે મોરબીમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે અને હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે દેશને આઝાદ કરાવવા માટે બલિદાનનો આપનાર આઝાદીના લડવૈયાઓની પ્રતિમાઓ પાસે પણ સાફ-સફાઈ જળવાતી નથી. ત્યારે વાત કરીએ મોરબીના ત્રિકોણબાગની તો મોરબીના ત્રિકોણબાગમાં મોટા ઉકરડાઓ જોવા મળે છે જેમાં સતત ગૌવંશો બેસી રહેતા હોય ત્યાં પાર્ક કરાતા વાહન ચાલકોના જીવ પડીકે બંધાય છે કે ક્યારે ગૌવંશો બાખડસે અને વાહનોમાં નુકસાની થશે.તે ઉપરાંત ત્યાંના દુકાનદારો અને ખાસ કરીને પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા જ ત્યાં કચરા ઠાલવી જવામાં આવે છે જે લાંબા સમય સુધી ઉપાડવામાં આવતા નથી અને તેના લીધે ત્યાં કચરાના મોટા ઢગલા જોવા મળે છે અને તે ઉપરાંત ત્યાં ગાંધીજીની પ્રતિમા પાછળ ખુલ્લામાં લઘુશંકા કરવામાં આવતી હોય તે બાબત પણ એટલી જ ત્રાસદાયક હોય આ અંગે યોગ્ય સાફ-સફાઈના પગલાં લેવામાં આવે તેવી અહીંના જાગૃત નાગરિકો દ્વારા પાલિકા પાસે માંગ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાતા પાલિકા તંત્ર દ્વારા વોચમેન મૂકવામાં આવેલ અને ત્યાં વ્યવસ્થિત પાર્કિંગ કરાવવાતું અને ગંદકી કરનારાઓ સામે દંડ પણ વસૂલવામાં આવતો હતો જે બંધ થઈ જતા પૂન: સ્થિતિ થઈ ગઈ હોય પગલાં લેવામાં આવે તેવી સૌ માંગ કરી રહ્યા છે.






Latest News