મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ ! 
Breaking news
Morbi Today

મોરબીમાં જે.પી. નડ્ડાના આગમન પૂર્વે પત્રકાર પરિષદ યોજાઇ: મંગળવારે રોડ શોમાં ૫૦ હજાર લોકો ઉમટશે


SHARE











મોરબીમાં જે.પી. નડ્ડાના આગમન પૂર્વે પત્રકાર પરિષદ યોજાઇ: મંગળવારે રોડ શોમાં ૫૦ હજાર લોકો ઉમટશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા છે અને આગામી મંગળવારે મોરબીમાં ભવ્ય રોડ શો યોજવાનો છે તેની માહિતી આપવા માટે પ્રદેશ ભાજપના મહામંત્રી અને

આગામી દિવસોમાં વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ૧૮૨ ના લક્ષ્યાંક સાથે ભાજપ મેદાને ઉતરવા માટે થઈને તૈયારીઓ કરી રહી છે જેના ભાગરૂપે જ્ઞાતિ, સમાજ અને સંગઠનો સાથે મીટીંગ અને મેળવડાઓ કરવામાં આવી રહ્યા છે દરમિયાન આગામી સપ્તાહમાં તા. ૨૦ અને ૨૧ ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યારે રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર બાદ મોરબીમાં જે.પી. નડ્ડાની હાજરીમાં મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય રોડ સો યોજવાનો છે જેની માહિતી આપવા માટે મોરબીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતનાં પ્રભારી રતનાકારજી, પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે મોરબીના શનાળા રોડથી લઈને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ રોડ શોને પૂરો કરવામાં આવશે જેમાં ૫૦ હજારથી વધુ લોકો આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે






Latest News