મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે નરેન્દ્ર મોદીના દિર્ધાયું આયુષ્ય યજ્ઞ યોજાયો


SHARE











મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે નરેન્દ્ર મોદીના દિર્ધાયું આયુષ્ય યજ્ઞ યોજાયો

દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયું માટે મોરબીમાં આયુષ્ય યજ્ઞ યોજાયો અને મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે આ આયુષ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આહુતિ આપવામાં આવી હતી ત્યારે ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા પણ હાજર રહ્યા હતા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસની સમગ્ર ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ ઉજવણીઓ કરવામાં આવી રહી છે અને તેઓના જન્મદિવસની સેવા કાર્ય થકી તેમજ હોમ હવન, પૂજન અર્ચન કરીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રહે છે ત્યાં તેઓના નિવાસ્થાને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની હાજરીમાં આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયું માટે થઈને કાંતિભાઈ અને તેના પરિવાજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે તેઓને છેલ્લા ૪૩ વર્ષથી સંબંધ છે અને તેમણે જન્મ પરિવાર નહીં પરંતુ દેશ માટે થયો છે જેથી કરીને તેના દિર્ધાયું માટે કાંતિભાઈ તેમજ અમૃતિયા પરિવાર દ્વારા તેઓના આંગણે આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈશ્રી તેમજ તેઓની સાંદિપની વિદ્યાપીઠના ભૂદેવો દ્વારાયજ્ઞ કરાવવામાં આવ્યો હતો આ તકે મોટી સંખ્યામાં મોરબી અને આસપાસના વિસ્તારમાંથી લોકો હાજર રહ્યા હતા






Latest News