મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના કુલદીપસિંહ જાડેજાની એનએસયુઆઇમાં મંત્રી તરીકે વરણી


SHARE











મોરબીના કુલદીપસિંહ જાડેજાની એનએસયુઆઇમાં મંત્રી તરીકે વરણી

ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનું નવું માળખું તૈયાર થયું તેમાં મોરબીનાં કુલદીપસિંહ જાડેજાને મંત્રી તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ છે.કુલદીપસિંહ જાડેજા ઘણા સમયથી એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસમાં રહી હંમેશા વિદ્યાર્થી અને યુવાનોનાં પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે.સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઇ થતાં છબરડા મુદ્દે પણ તેમને અલગ અલગ આંદોલન કરેલા તેમની કામગીરી અને પક્ષની વિચારધારાને નિષ્ઠાપૂર્વક વરાયેલ હોવાથી તેમને ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનાં મંત્રી બનાવવામાં આવ્યા છે.આવનાર દિવસોમાં સમગ્ર મોરબી જીલ્લાનાં દરેક કોલેજ-સ્કૂલ કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓને વિચારધારા સાથે જોડી સંગઠન મજબૂત બનાવી વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોને વાચા આપશે.આ અગાઉ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની ચૂંટણી લડી તેઓ મહામંત્રી બની કાર્ય કરી રહ્યા હતા. હવે પ્રદેશની ટીમમાં સમાવેશ થતાં મોરબી એનએસયુઆઇ માટે ગર્વની વાત ગણાય તેમ અહીંના એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.






Latest News