તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે: રમેશભાઈ ઓઝા


SHARE











કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે: રમેશભાઈ ઓઝા

મોરબીમાં કોરોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં કથાકાર રમેશભાઈ ઓઝા લોકોને કથાનું રસપાન કરવી રહ્યા છે ત્યારે તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા ઘટતી જાય છે જે સમાજ માટે નુકશાનકારક છે અને જે લોકો કિર્તિ રૂપે કમાણી કરેલ છે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે છે

મોરબીમાં કથાકાર રમેશભાઈ ઓઝાની કથા ચાલી રહી છે જેમાં જુદાજુદા ધાર્મિક પ્રસંગોને આગવી શૈલીમાં શ્રોતાઓ સમક્ષ કથાકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓએ વર્તમાન સ્થિતિ પરીથીતિને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા દિવસને દિવસે ઘટતી જાય છે જે સમાજને નુકશાન કરશે તે નિશ્ચિત છે વધુમાં એવું પણ કહ્યું હતુ કે, જનપ્રતિનિધિઓને રાજનીતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રનીતિ માટે કામ કરવાની જરૂર છે તો જ રાષ્ટ્રનું ભલું થશે અંતમાં તેઓએ વારંવાર જુદાજુદા વિવાદો  સામે આવતા હોય છે તેને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, જે લોકો કિર્તિ રૂપે કમાણી કરેલ છે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે છે

આ કથાના ચોથા દિવસે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા,રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, કચ્છના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ,ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જયુભાઈ જાડેજા, કિશોરભાઇ ચિખલિયા, અમુભાઈ હુંબલ, જીતુભાઈ મહેતા સહિતના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ધામધુમથી કથા મંડપમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ક્રુષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો






Latest News