મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં અતિ વરસાદથી લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચુકવવાની માંગ


SHARE







મોરબી-માળીયા તાલુકામાં અતિ વરસાદથી લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચુકવવાની માંગ

મોરબી અને માળીયા તાલુકા સરપંચ એશોસીએશન પ્રમુખ કાંતિલાલ મગનલાલ પેથાપરા કે જે હાલમાં બિલીયા ગ્રામ પંચાયતના સરપંચ પણ છે તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે કે મોરબી અને માળીયા તાલુકાના ગામોમાં થયેલ અતિશય વરસાદને લીધે લીલો દુષ્કાળ જાહેર કરી તાત્કાલીક ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે જરૂરી છે

હાલમાં મોરબી અને માળીયા તાલુકા સરપંચ એશોસીએશનને પ્રમુખ કાંતિભાઈ પેથાપરાએ જણાવ્યુ છે કે, ટંકારના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઇ પનારા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા અને ગત તા. ૩-૭ થી ૭-૮ સુધી સતત અવિરત વરસાદ પડેલ છે અને જરૂરીયાત કરતા ૧૫૦ થી ૨૦૦ ટકા વરસાદ થયેલ છે અને અંદાજીત ૪૨ ઈંચથી ૪૮ ઈંચ સુધી વરસાદ પડેલ છે જેના કારણે વાવેતર કરેલ તમામ પાક નિષ્ફળ ગયેલ છે અને ખેડુતોએ બે થી ત્રણ વખત બિયારણની વાવણી કરેલ છતા પણ યોગ્ય વરાપના અભાવે ખેતી કાર્ય થઇ શકેલ નથી અને પાક નિષ્ફળ ગયેલ છે અને આજની તારીખે ૬૫ થી ૭૦ ટકા વિસ્તાર વાવેતર બાકી છે જે સઘળી હકીકતથી કૃષિ મંત્રી વાકેફ છે આ બાબતે સ્થાનીક અધિકારી તેમજ પદાધિકારી પણ વાકેફ છે તેમ છતા હજુ સુધી લીલો દુષ્કાળ જાહેર થયેલ નથી અને જરૂરી સર્વે કરવામાં આવેલ નથી જેથી કરીને સરકાર દ્વારા તાત્કાલીક સહાય ચુકવવાનાં આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી તાલુકાના જેપુર, નાનીવાવડી, પંચાસર, અમરાપર-નાગલપરા, મોટીવાવડી, બગથળા, બિલીયા, કાંતીપુર, મોડપર, ખેવારીયા, બરવાળા, ખાખરાળા, વિરપરડા, કેરાળી, માનસર, નારણકા, લુટાવદર, પીપળીયા, હજનાળી, બેલા, ફડસર, ફાટસર, ધુળકોટ, બાદનપર, રામનગર, ખારચીયા, જીવાપર (આ), માણેકવાળા, ગોર ખીજડીયા, વનાળીયા, મહેન્દ્રગઢ (ફગસીયા), ડાયમંડનગર, આમરણ તેમજ માળીયા તાલુકોના નાનાદહિસરા, કુંતાસી, રાજપર, મોટાદહિસરા, ભાવપર, બગસરા,  દેરાળા, નંદનવન, નવાદેરાળા, બોડકી, જીંજોડા, વર્ષામેડી, ખીરસરા, ચાંચાવદરડા, તરઘડીના ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે






Latest News