મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાજ્યમંત્રીના નિવસ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં યોજાયા


SHARE











મોરબી જીલ્લામાં રાજ્યમંત્રીના નિવસ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં યોજાયા

મોરબી જિલ્લાના વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યલય ખાતે રહેતા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના નિવાસ સ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને ધરણા કરવામાં આવ્યા હતા અને તેના પ્રશ્નોને ઉકેલવાની માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ નાલંદા વિધાલય ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા રહેતા હોવાથી તેના નિવાસસ્થાને કિસાન સંઘના આગેવાનો અને કાર્યકરો દ્વારા પડતર પ્રશ્નોને લઈને ધરણા કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલમાં કિસાન સંઘ દ્વારા જે માંગણી કરવામાં આવી છે તેમાં સમાન વીજદર કરવો, મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર બે મહીને, બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાભ આપો, બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે, કિસાન સૂર્યોદય યોજના તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવો સહિતના પ્રશ્નોનો  સમાવેશ થાય છે

તે ઉપરાંત ખેતી અને પશુપાલન માટે પશુપાલકોને લીટરે ૨.૦૦ રૂપિયા સહાય આપવી સીધી બેંક ખાતામાં, ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ ગાડાની માન્યતા અપાવી, ટેક્ષ દુર કરવો, ખેતીવાડીમાં ખાનગી કૃષિ યુનીવર્સીટીઓને માન્યતા નહિ આપવી, માન્યતા આપેલ યુનીવર્સીટીઓમાં સીટો નહિ વધારવી
ખેડૂતો દ્વારા ફેન્સીંગ વાડની કામગીરી ચાલુ છે તેને ઝડપથી ગ્રાન્ટ આપવી ડીપ ઈરીગેશન સીસ્ટમમાં જીએસટી નાબુદ કરવી અને ૯૦ ટકા સહાય આપવી તેમજ મહેસુલ વિભાગ દ્વારા રી-સર્વે રદ કરવા અથવા જમીન માપણી ઝડપી કરવા માંગ કરવામાં આવી છે






Latest News