તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં અતિ વરસાદથી લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચુકવવાની માંગ


SHARE











મોરબી-માળીયા તાલુકામાં અતિ વરસાદથી લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચુકવવાની માંગ

મોરબી અને માળીયા તાલુકા સરપંચ એશોસીએશન પ્રમુખ કાંતિલાલ મગનલાલ પેથાપરા કે જે હાલમાં બિલીયા ગ્રામ પંચાયતના સરપંચ પણ છે તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે કે મોરબી અને માળીયા તાલુકાના ગામોમાં થયેલ અતિશય વરસાદને લીધે લીલો દુષ્કાળ જાહેર કરી તાત્કાલીક ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે જરૂરી છે

હાલમાં મોરબી અને માળીયા તાલુકા સરપંચ એશોસીએશનને પ્રમુખ કાંતિભાઈ પેથાપરાએ જણાવ્યુ છે કે, ટંકારના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઇ પનારા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા અને ગત તા. ૩-૭ થી ૭-૮ સુધી સતત અવિરત વરસાદ પડેલ છે અને જરૂરીયાત કરતા ૧૫૦ થી ૨૦૦ ટકા વરસાદ થયેલ છે અને અંદાજીત ૪૨ ઈંચથી ૪૮ ઈંચ સુધી વરસાદ પડેલ છે જેના કારણે વાવેતર કરેલ તમામ પાક નિષ્ફળ ગયેલ છે અને ખેડુતોએ બે થી ત્રણ વખત બિયારણની વાવણી કરેલ છતા પણ યોગ્ય વરાપના અભાવે ખેતી કાર્ય થઇ શકેલ નથી અને પાક નિષ્ફળ ગયેલ છે અને આજની તારીખે ૬૫ થી ૭૦ ટકા વિસ્તાર વાવેતર બાકી છે જે સઘળી હકીકતથી કૃષિ મંત્રી વાકેફ છે આ બાબતે સ્થાનીક અધિકારી તેમજ પદાધિકારી પણ વાકેફ છે તેમ છતા હજુ સુધી લીલો દુષ્કાળ જાહેર થયેલ નથી અને જરૂરી સર્વે કરવામાં આવેલ નથી જેથી કરીને સરકાર દ્વારા તાત્કાલીક સહાય ચુકવવાનાં આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી તાલુકાના જેપુર, નાનીવાવડી, પંચાસર, અમરાપર-નાગલપરા, મોટીવાવડી, બગથળા, બિલીયા, કાંતીપુર, મોડપર, ખેવારીયા, બરવાળા, ખાખરાળા, વિરપરડા, કેરાળી, માનસર, નારણકા, લુટાવદર, પીપળીયા, હજનાળી, બેલા, ફડસર, ફાટસર, ધુળકોટ, બાદનપર, રામનગર, ખારચીયા, જીવાપર (આ), માણેકવાળા, ગોર ખીજડીયા, વનાળીયા, મહેન્દ્રગઢ (ફગસીયા), ડાયમંડનગર, આમરણ તેમજ માળીયા તાલુકોના નાનાદહિસરા, કુંતાસી, રાજપર, મોટાદહિસરા, ભાવપર, બગસરા,  દેરાળા, નંદનવન, નવાદેરાળા, બોડકી, જીંજોડા, વર્ષામેડી, ખીરસરા, ચાંચાવદરડા, તરઘડીના ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે






Latest News