મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ.) ગામે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











ટંકારાના ઘુનડા (સ.) ગામે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે યુવાને કોઈ કારણોસર ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો અને આ બનાવી ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા ઉમેશભાઈ દેવજીભાઈ ચૌહાણ (ઉંમર ૨૬) એ કોઈ કારણોસર પોતાની જાતે ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના વાંકીયા ગામે રહેતા વિક્રમસિંહ મથુરભાઈ સંગોર નામના ૩૦ વર્ષેના યુવાનનું કોઈ કારણોસર મોત નીપજત્તા તેના મૃતદેહને પીએમ માટે ગત મોડી રાત્રિના અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું અને એ ડિવિઝનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા મૃતકના શરીર ઉપર દેખીતા કોઈ ઈજાના નિશાન ન હતા અને ઝેરી દવા પીધી હોય તેવા પણ કોઈ લક્ષણો જણાતા ન હતા છતાં પણ મોતનું સાચું કારણ જાણવા માટે વિશેરા લઈને બનાવના કારણ જાણવા આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
 
વાહન અકસ્માતમાં ઇજા
 
ટંકારા તાલુકાના વીરવાવ ગામે રહેતા ઘનશ્યામભાઈ હેમંતભાઈ બ્રાહ્મણ નામના ૩૦ વર્ષના યુવાનને મીતાણા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવારમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ગામે રહેતો રોહિત જગુભાઈ પરમાર નામનો ૧૧ વર્ષીય બાળક માળીયા મિંયાણા નજીક આવેલ રેલવે ફાટક પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા તથા મોરબીની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.





Latest News