તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન


SHARE











મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા અને જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પદયાત્રીકોના સેવાર્થે કેમ્પ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તા.૧૫ સપ્ટેમ્બર થી ૨૨ સપ્ટેમ્બર સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા મિત્ર મંડળ દ્વારા દેવ સોલ્ટ સુરાજબારી પુલ માળીયા નજીક સેવા કેમ્પ રાખવામાં આવે છે જેમાં પદયાત્રીકોને ૨૪ કલાક રહેવા-જમવા, ચા-નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે વધુ માહિતી માટે દિલીપસિંહ જાડેજા ૯૦૭૯૧ ૦૦૩૩૩, અશ્વિનભાઈ માકડીયા ૯૮૨૪૧ ૮૯૧૪૩, દયારામભાઈ ૯૮૨૫૨ ૪૬૫૫૧ અને દિનેશ નાકરાણી ૯૫૩૭૮ ૨૧૭૬૬ નો સંપર્ક કરવા માટે કહ્યું છે






Latest News