મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે જૈન યુવક મંડળ દ્વારા સંઘજમણ- રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ


SHARE











મોરબીમાં રવિવારે જૈન યુવક મંડળ દ્વારા સંઘજમણ- રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

મોરબી આગામી રવિવારે સ્થાનાકવાસી જૈન યુવક મંડળ દ્વારા પર્યુષણ પર્વ પૂર્ણ થતા જૈન સમાજના લોકો માટે સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે રવિવારે મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહ અને રઘુકુળ મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણ પર્વની પુર્ણાહુતી બાદ સ્થાનાકવાસી જૈન યુવક મંડળ દ્વારા સ્વામી વાત્સલ્ય સંઘજમણનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે તા. ૧૧ ને રવિવારના રોજ ૧૧:૩૦ કલાકે સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ દશશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી સરદાર રોડ બેન્ક ઓફ બરોડા સામે સંઘજમણ રાખવામા આવ્યું છે અને પાછળના દરવાજેથી એન્ટ્રી રાખવામા આવી છે તેવું સંસ્થાના પ્રમુખ મનોજભાઈ ડી.દેસાઈ અને મંત્રી રાજુભાઇ એમ. ગાંધીએ જણાવ્યુ છે

તો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહ અને રઘુકુળ મોબાઇલ એપનું લોકાર્પણ કાર્યક્રમનું સાંજે ૪:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ જશરાજભાઇ ઘેલાણીના હસ્તે કરવામાં આવશે. અને પ્રમુખ સ્થાને ડો. પરીક્ષિત ગુલાબરાય જોબનપુત્રા, અતિથિ વિશેષપદે નીરવ કાંતિલાલ માનસેતા હાજર રહેશે જેથી કરીને ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને આવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News