મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે જૈન યુવક મંડળ દ્વારા સંઘજમણ- રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ


SHARE











મોરબીમાં રવિવારે જૈન યુવક મંડળ દ્વારા સંઘજમણ- રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

મોરબી આગામી રવિવારે સ્થાનાકવાસી જૈન યુવક મંડળ દ્વારા પર્યુષણ પર્વ પૂર્ણ થતા જૈન સમાજના લોકો માટે સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે રવિવારે મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહ અને રઘુકુળ મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણ પર્વની પુર્ણાહુતી બાદ સ્થાનાકવાસી જૈન યુવક મંડળ દ્વારા સ્વામી વાત્સલ્ય સંઘજમણનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે તા. ૧૧ ને રવિવારના રોજ ૧૧:૩૦ કલાકે સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ દશશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી સરદાર રોડ બેન્ક ઓફ બરોડા સામે સંઘજમણ રાખવામા આવ્યું છે અને પાછળના દરવાજેથી એન્ટ્રી રાખવામા આવી છે તેવું સંસ્થાના પ્રમુખ મનોજભાઈ ડી.દેસાઈ અને મંત્રી રાજુભાઇ એમ. ગાંધીએ જણાવ્યુ છે

તો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહ અને રઘુકુળ મોબાઇલ એપનું લોકાર્પણ કાર્યક્રમનું સાંજે ૪:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ જશરાજભાઇ ઘેલાણીના હસ્તે કરવામાં આવશે. અને પ્રમુખ સ્થાને ડો. પરીક્ષિત ગુલાબરાય જોબનપુત્રા, અતિથિ વિશેષપદે નીરવ કાંતિલાલ માનસેતા હાજર રહેશે જેથી કરીને ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને આવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News