મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લામાં આડાસબંધની શંકામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE











મોરબીમાં જીલ્લામાં આડાસબંધની શંકામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે કડિયાણા ગામની સીમમાંથી મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી પોલીસે મૃતકનું ઓળખ મેળવી હતી અને ત્યાર બાદ મૃતક મહિલાના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાહોદના પાનમ ગામના રહેવાસી તેના જમાઈની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે કડિયાણા ગમનિની સીમમાંથી હથિયાર વડે શરીરને માર મારીને મહિલાનું મોત નિપજાવેલી હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને ત્યારબાદ મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં દાહોદ જિલ્લાના ઉડાર ભાભોર ફળીયુના રહેવાસી નગરાભાઈ તીતરીયાભાઈ ભાભોર જાતે આદિવાસી (૬૫) એ દાહોદ જિલ્લાના પાનમ ગામના રહેવાસી તેના જમાઈ છગનભાઈ નવલાભાઇ ડામોર સામે દીકરીની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેની દીકરી ધનકીબેનના પ્રથમ લગ્ન અલીરાજપુર જીલ્લામાં રમેશભાઈ સાથે કર્યા હતા જો કે, ત્રણેક વર્ષ પહેલા તેનું અવસાન બાદ તેની દીકરી બે સંતાનો સાથે ફરિયાદીના ઘરે રહેતી હતી અને દોઢેક વર્ષ પહેલા તેને પાનમ છગનભાઈ નવલાભાઇ ડામોર સાથે લગ્ન કરી લીધા હતા અને ફરિયાદીની દીકરીને પાનમ ગામના છનુભાઈ સાથે આડા સબંધ (પ્રેમ સંબંધ) હોવાની શંકા વહેમ રાખીને છગનભાઈ ડામોરે તેને આખા શરીરે માર માર્યો હતો જેથી તેનું મોત નિપજાવ્યું હતું જેથી કરીને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છગનભાઈ નવલાભાઇ ડામોર રહે, પાનમ ગામ દાહોદ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News